ઇન્ડિયન ઓડિયન્સને ફિલ્મ મેકર્સ પર ભરોસો રહ્યો નથી

વર્ષાેથી ભારતમાં કમર્શીયલ સિનેમા અને ઇન્ડિપેન્ડન્ટ સિનેમા વચ્ચે ભેદ રહ્યો છે, વર્ષાે સુધી આવી ફિલ્મ પેરેલલ સિનેમા તરીકે જ ઓળખાઈ છે
ફિલ્મા રીવ્યૂ માટે પૈસા અપાય છે,બધું જ ખરીદાય છે : નિખિલ અડવાણી
મુંબઈ, તાજેતરમાં જ અભિષેક બેનર્જીની ડેબ્યુટન્ટ ડિરેક્ટર કરન તેજપાલે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘સ્ટોલન’ ઓટીટી પર રિલીઝ થઈ છે. તેને પાંચ ક્રિએટિવ પ્રોડ્યુસર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, નિખિલ અડવાણી, અનુરાગ કષ્યપ, વિક્રમાદિત્ય મોટવાણે અને કિરણ રાવ. આ ફિલ્મ છેલ્લાં કેટલાંક દિવસોથી ચર્ચામાં છે.
ત્યારે નિખિલ અડવાણીએ દેશમાં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનની સ્થિતિ અને ઓડિયન્સના બદલાતાં વલણ અંગે વાત કરી હતી. સ્વતંત્ર ફિલ્મ પણ લોકો સુધી પહોંચે અને લોકો આ પ્રકારની ફિલ્મ પણ માણી શકે તે હેતુથી ઘણી વખત જાણીતા લોકો નાની ફિલ્મમાં એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર તરીકે જોડાતા હોય છે. ‘સ્ટોલન’માં પણ આવું જ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અંગે નિખિલ અડવાણીએ કહ્યું, “સારી અને ખુશ થવા જેવી બાબત ત્યારે કહેવાશે જ્યારે સ્ટોલન જેવી ફિલ્મને અમારી જરૂર જ નહીં પડે.” તેણે આગળ કહ્યું, “અમે કોણ છીએ? અમે તો માત્ર અમારી મહેનત અને વિસ્વસનીયતા દાવ પર લગાવીએ છીએ.
મને લાગે છે કે હાલ ફિલ્મ મેકર્સ અને દર્શકો વચ્ચે બિલકુલ અવિશ્વસનીયતાનો માહોલ છે.મૂળ દર્શકો એવું કહે છે, “તમે જે કહો એ, અમને તમારા પર વિશ્વાસ નથી. રીવ્યુ માટે પૈસા અપાય છે અને બધું જ ખરીદાય છે.” અમે બસ એટલું કહેવા માગીએ છીએ, “અમારો વિશ્વાસ કરો.” અંતે તો, અમે એક ગુણવત્તાવાળી ફિલ્મ બનાવવા માટે જાણીતા છીએ.”નિખિલે આ પહેલાં ‘કલ હો ના હો’, ‘ડી ડે’, ‘બાટલા હાઉસ’ જેવી ફિલ્મ બનાવી છે. તેણે ઓડિયન્સના વખાણ કરતા કહ્યું, “આજનું ઓડિયન્સ સોશિયલ મીડિયાના કારણે એટલું માહિતગાર થઈ ગયું છે કે એમની પાસે બધું જ આંગળીના ટેરવે છે.”
વર્ષાેથી ભારતમાં કમર્શીયલ સિનેમા અને ઇન્ડિપેન્ડન્ટ સિનેમા વચ્ચે ભેદ રહ્યો છે. વર્ષાે સુધી આવી ફિલ્મ પેરેલલ સિનેમા તરીકે જ ઓળખાઈ છે. પછી મલ્ટીપ્લેક્સ આવી ગયા અને આવી ફિલ્મ ફેસ્ટિવલ ફિલ્મ તરીકે ઓળખાવા લાગી. આ ભેદભાવ વિશે વાત કરતા નિખિલે કહ્યું, “હવે વિકલ્પો ઘટી રહ્યા છે. તેથી ઘીસી પીટી રૂઢિને જ અનુસરવાની માગ પણ એટલી જ વધારે છે.
જ્યારે પણ તમારે એ તોડીને કશુંક નવું કરવાનું હોય ત્યારે તમારે એવું કરવું પડે છે, જે માર્કેટમાં પણ સ્વીકૃત હોય, પછી તે કલાકારો હોય, ડિરેક્ટર હોય કે પછી પ્રોડ્યુસર. પરંતુ મને આશા છે કે સ્થિતિ બદલાશે. બદલાવી જ પડશે. સારી ફિલ્મ હશે તો એનું ઓડિયન્સ મળી જ રહેશે.”છેલ્લાં કેટલાંક વર્ષાેમાં પેન્ડિમિકથી થિએટરમાં ફિલ્મની સફળતા અને કમાણીમાં ઘણો ઘટાડો થયો છે. પરંતુ નિખિલ કહે છે, “એ જ ઓડિયન્સ હવે કોમેડી ક્લબ અને લાઇવ શોમાં પૈસા ખર્ચે છે. વીર દાસે મને પહેલાં કહેલું કે એ દેશનાં છ જ દેશોમાં પ્રવાસ કરે છે. હવે એ ૬૦ શહેરોમાં ફરે છે. આપણે દર્શકોને ફરી જીતવાની જરૂર છે અને તે તેમની વાત સાંભળીને જ થઈ શકશે.”SS1