Western Times News

Gujarati News

યસ એસેટ મેનેજમેન્ટે યસ ઓવરનાઇટ ફંડ ન્યૂ ફંડ ઓફર (NFO) લોંચ કર્યું

મુંબઈ, યસ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની યસ એસેટ મેનેજમેન્ટ (ઇન્ડિયા) લિમિટેડ (યસ એસેટ મેનેજમેન્ટ)ને એનો ત્રીજો એનએફઓ યસ ઓવરનાઇટ ફંડ લોંચ કરવાની જાહેરાત કરવાની ખુશી છે. આ એનએફઓ 19 ઓગસ્ટ, 2019થી 23 ઓગસ્ટ, 2019 સુધી ખુલ્લો રહેશે.

આ ફંડ ઓપન એન્ડેડ ડેટ સ્કીમ છે, જે ઓવરનાઇટ સીક્યોરિટીઝમાં રોકાણ કરે છે અને મેચ્યોરિટી એક બિઝનેસ ડે છે. આ માધ્યમની રેસિડ્યુઅલ મેચ્યોરિટી એક બિઝનેસ ડે હોવાથી રોકાણ થયેલી મૂડી અને વ્યાજનાં દરનું ઓછામાં ઓછું જોખમ છે. ફંડનું મેનેજમેન્ટ પિયૂષ બરાનવાલા કરશે.

યસ ઓવરનાઇટ ફંડનાં લોંચ પર યસ એસેટ મેનેજમેન્ટનાં સીઇઓ કંવર વિવેકે કહ્યું હતું કે, “યસ ઓવરનાઇટ ફંડ ધિરાણની મૂળભૂત ક્ષમતાનું વિશ્લેષણ કરીને ધિરાણનો ઊંચી ગુણવત્તાયુક્ત પોર્ટફોલિયો જાળવશે અને ઇશ્યૂઅરની સેકન્ડરી માર્કેટ લિક્વિડિટી ઇશ્યૂર બનશે, ઇન-હાઉસ ક્રેડિટ અને લિક્વિડિટી મોડલનો ઉપયોગ કરશે. સંસ્થાગત અને રિટેલ એમ બંને પ્રકારનાં રોકાણકારો માટે આ આદર્શ ફંડ છે, જે ટૂંકા ગાળા માટે વધારાનાં રૂપિયાનું રોકાણ કરવા અને વાજબી વળતર આપવા ઇચ્છ છે.”

YES Asset Management Launches YES Overnight Fund New Fund Offer (NFO).


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.