Western Times News

Gujarati News

રાજપારડી ચાર રસ્તા પર ટ્રકની ટક્કરે શાકભાજીની લારીનો કચ્ચરઘાણ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા પરથી ધોરીમાર્ગ પસાર થાય છે. નગરના ચાર રસ્તા નગરને ભરૂચ અંકલેશ્વર રાજપિપલા નેત્રંગ જેવા મથકો સાથે જાેડે છે.આ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસના જવાનો ફરજ બજાવતા હોય છે.

એક મહત્વનું વેપારી મથક હોવાના નાતે રાજપારડીના ચાર રસ્તા પર સવારથી લઇને રાત પડતા સુધી આજુબાજુના ગામોની જનતાનો ઝમેલો રહે છે.આજરોજ સવારના સાડા આઠ વાગ્યાની આસપાસના સમયે રાજપારડી ચાર રસ્તા પરથી શાકભાજી લઈને જતી એક હાથલારીને એક ટ્રકે ટક્કર મારતા હાથલારીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.લારીમાં ભરેલ શાકભાજી રોડ પર વેરણ છેરણ થઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે રાજપારડીના ચાર રસ્તા પર સવારથી સાંજ સુધી ટ્રાફિક પોલીસના જવાનો ફરજ બજાવે છે.છતાં આવા અકસ્માત સર્જાય ત્યારે ફરજ બજાવતા ટ્રાફિકના જવાનોની કામગીરી બાબતે સવાલો ઉઠે એ સ્વાભાવિક ગણાય.

આજના આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની નહી થતાં તંત્રએ રાહત અનુભવી હતી. ટ્રક ચાલકે હાથલારીને અડફેટમાં લેતા ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

મળતી વિગતો મુજબ આ ઘટના બાબતે કોઈ પોલીસ ફરિયાદ લખાવા નથી પામી.આ ઘટનામાં કોઇ જાનહાની નથી થઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.