Western Times News

Gujarati News

સમ્રાટ પૃથ્વીરાજની કમાણી ૮૨% ઘટી, ઘણાં શૉ કેન્સલ

મુંબઈ, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની કમાણી દિવસેને દિવસે નબળી દેખાઈ રહી છે. પ્રથમ અઠવાડિયામાં સમ્રાટ પૃથ્વીરાજની કમાણી ૫૫ કરોડ પણ પહોંચી નથી ત્યારે રિલીઝના બીજા શુક્રવારે સમ્રાટ પૃથ્વીરાજની કમાણી લગભગ ૮૨ ટકા ઘટી ગઈ છે.

રિલીઝના પ્રથમ દિવસ એટલે કે ઓપનિંગ ડે પર ૧૦.૭૫ કરોડની કમાણી કરનાર સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મે શુક્રવારે માત્ર ૧.૮૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મની કુલ કમાણી ૮ દિવસમાં માત્ર ૫૬.૬૦ કરોડ રૂપિયા છે. ટિકિટ બારી પર સમ્રાટ પૃથ્વીરાજ ફ્લોપ સાબિત થઈ રહી છે.

સમ્રાટ પૃથ્વીરાજની બોક્સ ઓફિસ પર અત્યારે એવી સ્થિતિ છે કે દરરોજ તેના ઘણાં શૉ કેન્સલ થઈ રહ્યા છે. સમ્રાટ પૃથ્વીરાજ સમગ્ર દેશમાં ૩૭૫૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી પણ હવે તો એવી સ્થિતિ છે કે કેટલાંક શૉની એકપણ ટિકિટનું વેચાણ થયું નથી. જેથી, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના શૉ કેન્સલ કરવા પડી રહ્યા છે.

અક્ષય કુમાર માટે છેલ્લાં ૧૦ મહિનામાં આ ત્રીજા ચોંકાવનારા સમાચાર છે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અગાઉ અક્ષય કુમારની બચ્ચન પાંડે અને બેલ બૉટમનું બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન રહ્યું નથી.ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને તેમની વીરતાની સ્ટોરી પર આધારિત છે.

ફિલ્મમાં અક્ષય કુમારે પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવી છે. અક્ષય સિવાય આ ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, માનવ વિજ અને આશુતોષ રાણા મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મથી મિસ વર્લ્‌ડ માનુષી છિલ્લર બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મને ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ લખી છે અને ડાયરેક્ટ પણ કરી છે.

અક્ષય સિવાય ફિલ્મમાં સોનુ સૂદે ચંદ બરદાઈનું પાત્ર ભજવ્યું છે, માનુષી છિલ્લરે રાજકુમારી સંયોગિતા અને માનવ વિજે ભારત પર હુમલો કરનાર સુલ્તાન મોહમ્મદ ઘોરીનું પાત્ર ભજવ્યું છે.પ્રાપ્ત જાણકારી અનુસાર, સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ બનાવવા માટે ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી પાછલા ૧૮ વર્ષથી રિસર્ચ કરી રહ્યા હતા.

જાે આ વાત સાચી છે તો ફિલ્મ ઐતિહાસિક તથ્યો સાથે ન્યાય કરશે. ડોક્ટર દ્વિવેદી આ પહેલા દૂરદર્શન માટે ‘ચાણક્ય’ જેવી સફળ સીરિયલ બનાવી ચૂક્યા છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.