Western Times News

Gujarati News

૨૦૦ કરોડના બજેટમાં બનેલી સમ્રાટ પૃથ્વીરાજની કમાણી માત્ર ૬૫ કરોડ

akshay kumar responsible for samrat prithviraj movie

મુંબઈ, ખિલાડી એક્ટર અક્ષય કુમારની બિગ બજેટ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’એ ૨ અઠવાડિયામાં માત્ર ૬૫.૩૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની કમાણીમાં ૮૦% સુધીનો ઘટાડો નોંધાયો છે.

આશરે ૨૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની બોક્સ ઓફિસ પર આવી હાલત થશે તે વિશે કદાચ કોઈએ પણ વિચાર્યું નહીં હોય! અહીં નોંધનીય છે કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ બોક્સ ઓફિસ પર ૩૭૫૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. પણ, વીકેન્ડ બાદ ઘણાં થિયેટર્સમાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના શૉમાં માત્ર ૮થી ૯ દર્શકો જ જાેવા મળ્યા હતા.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સમ્રાટ પૃથ્વીરાજ થિયેટરમાં નહીં ચાલવા પાછળના કારણ જણાવતા કહ્યું કે સૌપ્રથમ તો ‘સમ્રાટ પૃથ્વીરાજ’નું ટ્રેલર જાેઈને દર્શકોને આ ફિલ્મ જાેવાની ઈચ્છા થવી જાેઈતી હતી. પણ, તેનું ટ્રેલર કોઈ ખાસ કમાલ દેખાડી શક્યું નહીં. મને આ ફિલ્મ સારી લાગી પણ તેનું મ્યુઝિક ખાસ સારું લાગ્યું નહીં. મને આશા હતી કે સમ્રાટ પૃથ્વીરાજ દર્શકો જાેશે કારણકે તેની સ્ટારકાસ્ટ ઘણી સારી છે.

પણ, દર્શકોએ થિયેટરમાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પર કોઈ ખાસ પસંદગી ઉતારી નહીં જે જાેતાં હું પણ ચોંકી ગયો છું. અક્ષય કુમાર સ્ટારર બિગ બજેટ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની કમાણીમાં ૮૦% સુધીનો ઘટાડો નોંધાયો છે. ઘણાં થિયેટર્સમાં સમ્રાટ પૃથ્વીરાજના શૉમાં દર્શકો નહીં આવતા શૉ કેન્સલ કરાયા છે.

મહારાષ્ટ્રમાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કોઈ ખાસ કમાલ દેખાડી શકી નથી જ્યારે ગુજરાતમાં હજુ પણ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની ઠીકઠાક કમાણી થઈ રહી છે. સમ્રાટ પૃથ્વીરાજ ૨૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની હોવાનું માનવામાં આવે છે. ત્યારે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ થિયેટર્સમાં અત્યારે જે રીતે ખરાબ પ્રદર્શન કરી રહી છે તે જાેતાં નફો કરવા માટે ડિજિટલ રાઈટ્‌સ જ એકમાત્ર સહારો છે.

એવું કહેવાઈ રહ્યું છે કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ રિલીઝના ચોથા અઠવાડિયામાં જ ઓટીટી પર રિલીઝ કરાશે. એવો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના ડિજિટલ રાઈટ્‌સ અને ટીવી પ્રીમિયર રાઈટ્‌સ વેચીને ૧૬૦ કરોડ આસપાસની કમાણી કરવામાં આવે કે જેથી નુકસાન થાય નહીં. સમ્રાટ પૃથ્વીરાજ’ની બોક્સ ઓફિસ પર અત્યારે એવી સ્થિતિ છે કે દરરોજ તેના ઘણાં શૉ કેન્સલ થઈ રહ્યા છે.

‘સમ્રાટ પૃથ્વીરાજ’ સમગ્ર દેશમાં ૩૭૫૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી પણ હવે તો એવી સ્થિતિ છે કે કેટલાંક શૉની એકપણ ટિકિટનું વેચાણ થયું નથી. જેથી, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના શૉ કેન્સલ કરવા પડી રહ્યા છે.

અક્ષય કુમાર માટે છેલ્લાં ૧૦ મહિનામાં આ ત્રીજા ચોંકાવનારા સમાચાર છે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અગાઉ અક્ષય કુમારની બચ્ચન પાંડે અને બેલ બૉટમનું બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન રહ્યું નથી. પ્રાપ્ત જાણકારી અનુસાર, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મ બનાવવા માટે ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી પાછલા ૧૮ વર્ષથી રિસર્ચ કરી રહ્યા હતા. જાે આ વાત સાચી છે તો ફિલ્મ ઐતિહાસિક તથ્યો સાથે ન્યાય કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.