Western Times News

Gujarati News

અમદાવાદ-ભાવનગર હાઈવે પર અકસ્માતમાં બે લોકોનાં મોત

અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો, ભોગ બનનાર કાર તેલંગાણા પાસિંગની છે

અમદાવાદ,  ગુજરાતમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે ભાવનગર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ૫ લોકોમાંથી બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માત ઈજાગ્રસ્ત ૩ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ભાવનગર-અમદાવાદ હાઇવે પર પીપળી વટામણ રોડ પાસે એક ટ્રક અમદાવાદ તરફ જઇ રહ્યો હતો, આ દરમિયા સામેથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. અકસ્માતનો ભોગ બનનાર કાર તેલંગણાની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા ક્રેઇન બોલાવી હતી. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અન્ય હોસ્પિટલે ખસેડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. બનાવની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. મળતી માહિતી પ્રમાણે જ્યારે અકસ્માત થયો ત્યારે કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ૩ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.