Western Times News

Gujarati News

મહામારીના કારણે પરેશાન થઈ ગઈ છે ઉર્વશી ધોળકિયા

મુંબઈ: પોપ્યુલર ટેલિવિઝન શો કસૌટી જિંદગી કીમાં કોમોલિકાનો આઈકોનિક રોલ પ્લે કરનાર ઉર્વશી ધોળકિયાએ ઈન્સ્ટાગ્રામ પર તેના એક ફેનને સ્ક્રીન પર કમબેક કરવા અંગે જવાબ આપ્યો છે. ઉર્વશીએ શેર કરેલી પોસ્ટમાં ફેને લખ્યું છે કે, અમે તમને ઓન-સ્ક્રીન મિસ કરી રહ્યા છીએ. મહેરબારની કરીને જલ્દીમાં જલ્દી ટીવી પર તમારા અપકમિંગ પ્રોજેક્ટની જાહેરાત કરો. તમને સ્ક્રીન પર જાેયા નથી, તેને ઘણો લાંબો સમય થઈ ગયો

તમારો પ્રોજેક્ટ જલ્દી જાહેર કરો. છેલ્લે ચંદ્રકાંતામાં ક્વીન ઈરાવતી અને નચ બલિયે ૯માં કન્ટેસ્ટન્ટ તરીકે જાેવા મળેલી ઉર્વશીએ જવાબ આપ્યો કે, તમે કેટલા સ્વીટ છો, મને સ્ક્રીન પર મને મિસ કરવામાં આવી રહી છે પરંતુ શું કરું લોકો કહી રહ્યા છે કે, મહામારીએ મારા માટે કોઈ જગ્યા બાકી રાખી નથી.

એક્ટ્રેસે ૬ વર્ષની ઉંમરે એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે ભારતીય ટેલિવિઝનમાં આઈકોનિક કેરેક્ટર્સ પ્લે કર્યા છે. જેના કારણે તેને ઘણા એવોર્ડ્‌સ મળી ચૂક્યા છે. ઉર્વશીએ ફેનને આપેલો રિપ્લાય એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીની તે કડવી હકીકત છતી કરે છે કે, મહમારી પહેલા અને બાદની સ્થિતિ કેવી છે.

૪૧ વર્ષીય એક્ટ્રેસની વાત કરીએ તો તે પોતાના ટ્‌વીન્સ દીકરા સાગર અન ક્ષિતિજની સિંગલ પેરેન્ટ છે. તે એક્ટર અનુપ સચદેવ સાથે પણ રિલેશનશિપમાં રહી ચૂકી છે, પરંતુ બંને વચ્ચેના સંબંધો લાંબા ચાલ્યા નહીં અને તેઓ અલગ થઈ ગયા હતા.

જાે કે, બંને કપલ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે ૯માં જાેવા મળ્યા હતા. શો દરમિયાન ઉર્વશીના દીકરાઓએ કહ્યું હતું કે, તેઓ તેમની માતાને ફરીથી પ્રેમમાં પડતી જાેવા ઈચ્છે છે અને તેમને અનુજ પસંદ છે.આ સિવાય, તેને ફ્રેન્ડ્‌સ અને પરિવાર સાથે વેકેશન પર જવું ખૂબ ગમે છે. તે પોતાના દીકરા સાથે સોશિયલ મીડિયા પર ફની વીડિયો શેર કરતી રહે છે. તે અનિમલ લવર પણ છે, તેણે એક શ્વાસ અને બિલાડી પાળી છે. બિલાડીનું નામ તેણે ચાઈ પાડ્યું છે. જેને તેણે લોકડાઉન દરમિયાન દત્તક લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.