Western Times News

Gujarati News

નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પુનમે ભક્તો ૧૫૦૦ મણ બોર  પ્રસાદી ગ્રહણ કરી

બોર ઉછામણી રદ કરી બોર પ્રસાદ ગ્રહણ કરવાનો નિર્ધાર કર્યો 

આજે પોષી પુનમ દર વર્ષની જેમ પરંપરા મુજબ છેલ્લા ૧૯૦ વર્ષથી બોરની ઉછામણી બાળક બોલતું થાય તે માટે શ્રદ્ધા અને વિશ્વાસથી થઈ રહે છે ચાલુ સાલે કોરોના મહામારી અને સરકારશ્રીને ગાઇડલાઇન મુજબ પ્રાત: સ્મરણીય પરમ પૂજ્ય રામદાસજી મહારાજની નિશ્રામાં બોર ઉછામણી રદ કરી બોર પ્રસાદ ગ્રહણ કરવાનો નિર્ધાર કર્યો.

સંતરામ મંદિરના ભક્તો એ ૧૫૦૦ મણ બોર પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી સંતરામ મંદિર દ્વારા બોર માટે ૧૦ કાઉન્ટર રાખવામાં આવ્યા હતા જેમાં ભક્તોએ બોર ની પ્રસાદી મૂકી જેટલા જોઈએ તેટલા બોર ઘરે લઇ જઇ લોકોને પ્રસાદી આપી હતી (તસવીર સાજીદ સૈયદ નડીઆદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.