Western Times News

Gujarati News

પૈસા ચૂકવ્યા છતાં ૨૦ લાખ માગીને ઘરમાં તોડફોડ કરી

અમદાવાદ: રાજ્યમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કિસ્સાઓ છાસવારે સામે આવી રહ્યા છે. ત્યારે સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં વ્યાજખોરોના ત્રાસની વધુ એક ફરિયાદ આવી છે. જેમાં એક કિસ્સામાં મહિનાના ૧.૧૯ લાખ ચુકવતો યુવક ઘર છોડીને જતો રહ્યો હતો. ત્યારે બીજા કિસ્સામાં ૨૦ લાખની સામે ૩૯ લાખની રકમ ચુકવવા છતાં ઉઘરાણી ચાલુ રખાતા વ્યક્તિ પોલીસમાં ફરિયાદ કરી હતી.

ઘટની વિગતો મુજબ ગુલાબ ટાવર નજીક નંદેશ્વર ટેનામેન્ટમાં રહેતા ૩૧ વર્ષના પલકભાઈ પટેલ શીલજમાં સાઈટ સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. તેમની સાથે તેમના સાળા દીપલ પટેલ પણ રહે છે. દીપલ પટેલનો મિત્ર મયંક શાહના માથે મોટું દેવું થઈ જતા તે ક્યાંક ચાલ્યો ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મંથનને પૈસાની જરૂર પડતે તેણે ઘાટલોડિયાના શ્રીનાથ નિરંજનનગર સોસાયટીમાં રહેતા મુકેશ દેસાઈ પાસેથી ૬ વર્ષ પહેલા ૭ ટકાના વ્યાજે ૨૦ લાખ લીધા હતા.

આબાદ વધુ નાણાંની જરૂર ઊભી થતા તેણે પલકભાઈ અને દીપલભાઈને મદદ કરવા વિનંતી કરી હતી.
એવામાં બંનેએ પોતાના ચેક સિક્યોરિટી માટે મૂકીને મુકેશ દેસાઈ પાસેથી મંથનને ૭ ટકા લેખે ૧૭ લાખ અપાવ્યા હતા. જેના માટે મંથન મહિને ૧.૧૯ લાખનું વ્યાજ આપતો હતો પરંતુ તે વ્યાજ ન ભરી શકતા ઓક્ટોબર ૨૦૧૯માં તે ઘરેથી ચાલ્યો ગયો હતો.

આ બાદ મુકેશ દેસાઈએ પલકભાઈ અને દીપલભાઈ પાસેથી પૈસાની ઉઘરાણી ચાલુ કરીને વ્યાજ પેઠે ૨.૫૦ કરોડ રૂપિયાની માગણી શરૂ કરી દીધી.

છેલ્લા ૧ વર્ષથી અઢી કરોડની માગણી કરતા મુકેશે મંગળવારે પોતાના બે સાથીદારો સાથે પલકભાઈના ઘરે જઈને તેમની પત્ની તથા માતાને અપશબ્દો બોલીને પલક અને દીપલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બાદ મુકેશ દેસાઈએ ફરીથી બુધવારે પલકભાઈને ફોન કરીને ધમકી આપતા મામલો સોલા હાઈકોર્ટ પહોંચ્યો હતો. અન્ય બીજા કેસમાં ચાણક્યપુરીમાં રહેતો યુવક વ્યાજના ચક્કરમાં ફસાયો હતો.

જેમાં ૩૬ વર્ષના મુકેશ તેજાભાઈ દેસાઈ નામનો યુવક મેમનગરમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પૈસાની જરૂરિયાત ઊભી થતા તેણે ચાર વર્ષ પહેલા ચાંદલોડિયામાં ભગીરથ હાઉસિંહમાં રહેતા કિરણ દેસાઈ તથા વિપુલ દેસાઈ પાસેથી ૧૦ ટકાના વ્યાજે ૨૦ લાખ લીધા હતા અને સમયસર વ્યાજ પેટે ૧૯ લાખ તથા મૂડીના ૨૦ લાખ મળીને ૩૯ લાખની રકમ ચૂકવી દીધી હતી.

જાેકે તેમ છતાં કિરણ, વિપુલ તથા તેમનો અન્ય એક ભાઈ સંજય દેસાઈ બુધવારે મુકેશભાઈના ઘરે ગયો હતો અને વધુ ૨૦ લાખની ઉઘરાણી કરી હતી. આ સાથે જ તેણે ઘરની બાકીના કાચ તોડીને અને એક્ટિવા પાડી દીધું હતું. જે અંગે મુકેશભાઈએ સોલા હાઈકોર્ટ પોલીસમાં ત્રણેય વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.