Western Times News

Gujarati News

મુન્દ્રામાં પોલીસ લોકઅપમાં મોત અંગેની તપાસના આદેશ

મુન્દ્રા, મુન્દ્રા તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસે ૩ શકમંદોને ઉઠાવીને લોકઅપમાં ઢોર માર માર્યો હતો. જે પૈકી એકનું કસ્ટડીમાં અને બીજાનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. આમ બે યુવકોના મોત થયા બાદ ગઢવી સમાજમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આ બનાવને ગંભીરતાથી લઈને કચ્છ એસપીએ તપાસના આદેશ આપ્યા છે. જેમાં ૮ આરોપીઓના નામ બહાર આવ્યા છે. જે પૈકી પીઆઈ અને જીઆરડી જવાનની અટકાયત કરવામાં આવી છે જ્યારે હજુ ૬ આરોપી ફરાર છે.

મુન્દ્રા તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસે ત્રણ શકમંદ શખસોને ઉઠાવી લોકઅપમાં ઢોર માર મારતા તે પૈકી અરજણ ગઢવી નામક યુવાનનું કસ્ટડીમાં મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ ટોર્ચરના કારણે ઘાયલ થયેલા બે યુવાનોને ઉચ્ચ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. તેમાંથી એક એવા હરજાેગ ગઢવીનું ૧૬ દિવસની સારવાર બાદ મોત નિપજતા ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

એસપી સૌરભ સિંઘે આ મામલે ગઢવી સમાજને તપાસમાં સહકાર આપવા અને ધીરજ રાખવા અપીલ કરી છે જ્યારે બીજી તરફ ગઢવી સમાજે મુન્દ્રા બંધનું એલાન આપ્યું છે.

એસપી સૌરભ સિંઘે વધુમાં જણાવ્યું કે કસ્ટોડિયલ ડેથ અને સારવાર દરમિયાન યુવકના મોત મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવની ગંભીરતાને જાેઈને તે દિશામાં તપાસ ચાલી રહી છે અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ પકડાઈ જશે અને અમે જે તપાસ કરી રહ્યા છીએ તેમાં ક્યાંય પણ કોઇ કચાસ નહીં રહે. અમે ઝડપથી ચાર્જશીટ દાખલ કરીશું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.