Western Times News

Gujarati News

જેઠાલાલે સોરી કહેવા માટે ફુલોનો બુકે બબીતાને આપ્યો, બબીતાએ ઘરની બહાર ફેંકી દીધો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ અને બબીતા પ્રેક્ષકોને હંમેશા આકર્ષિત કરતા રહે છે. જેઠાલાલનો બબીતા પ્રત્યે એકતરફી પ્રેમ લોકોને ખૂબ પસંદ આવે છે. પરંતુ આ વેલેન્ટાઇન વીકમાં જેઠાલાલ ખૂબ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. પ્રેમની આ સીઝન વચ્ચે જેઠાલાલના જીવનમાં જાેરદાર તોફાન આવ્યું છે, જે ગોકુલધામ સોસાયટીમાં નવો તહેલકો મચાવી શકે છે.

બબીતા અને જેઠાલાલની વચ્ચે જાેરદાર લડાઈ થવાની છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડની પ્રેક્ષકો આતુરતાથી રાહ જાેતા હોય છે. આગામી એપિસોડમાં જાેવા મળશે કે જેઠાલાલ અને બબીતા વચ્ચે બહુ મોટો ઝઘડો થવાનો છે.

મૂળે, બબીતા અને અય્યરને ઇમરજન્સીમાં કેટલાક ટેબલેટ્‌સ જાેઈતા હતા. જેઠાલાલ જરૂર મદદ કરશે એવું વિચારીને બબીત જેઠાલાલને કેટલાક ટેબલેટ્‌સ લાવવાની વિનંતી કરે છે, પરંતુ જેઠાલાલ કેટલાક કારણોથી તે ટેબલેટ્‌સ સમયસર બબીતાને પહોંચાડી નથી શકતા.

આ વાતને લઈ બબીતાને જેઠાલાલ પર ખૂબ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં લાલ બબીતાએ જેઠાલાલને ઘરેથી ગુસ્સે ભરાઈને કાઢી મૂક્યા. બબીતા માટે તે ટેબલેટ્‌સ સમયસર મળવા ખૂબ જરૂરી હતા. બબીતા અને અય્યરે જેઠાલાલને ગુસ્સામાં ન કહેવાના શબ્દો કહ્યા.

આ ઉપરાંત જેઠાલાલે સોરી કહેવા માટે જે ફુલોનો બુકે બબીતાને આપ્યો હતો તે પણ બબીતાએ પોતાના ઘરની બહાર ફેંકી દીધો. હવે આગામી એપિસોડ્‌સમાં એ સ્પષ્ટ થશે કે શું જેઠાલાલ અને બબીતાની વચ્ચે આ વિવાદ ઉકેલાશે ખરો? શું બબીતા અને અય્યર જેઠાલાલને માફ કરી દેશે? શું જેઠાલાલ ટેબલેટ્‌સ આપી શકશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.