Western Times News

Gujarati News

સોમનાથ મહાદેવના દર્શન-પૂજા-અર્ચના કરતા મુખ્યમંત્રી

ગીર સોમનાથના પ્રવાસ દરમ્યાન  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  સોમવારે સવારે સોમનાથ મહાદેવના દર્શન-પૂજા-અર્ચના કરી હતી અને  ગુજરાતની શાંતિ, સલામતિ અને પ્રગતિની પ્રાર્થના કરતા મુખ્યમંત્રીએ કરી હતી.  સોમનાથની મુલાકાત સમયે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યુ હતુ.

ભારત વર્ષના શ્રદ્ધાના પરમ કેન્દ્ર એવા સોમનાથ મહાદેવના મંદિરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ ખાતે મુખ્યમંત્રીશ્રીએ સોમનાથદાદાના દર્શન અને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સોમનાથદાદાને શિશ નમાવી ગુજરાતની શાંતિ, સલામતિ અને પ્રગતિની પ્રાર્થના કરી હતી.  મનાથદાદાના આશીર્વાદ ગુજરાતને હંમેશા મળતા રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.