Western Times News

Gujarati News

શું નવી ગાઇડલાઇન બાદ ભારતમાં વોટ્‌સએપ બેન થશે ?

Files Photo

નવી દિલ્હી: નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાને લઇને ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે નવી ગાઇડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી જરૂરિયાત અનુસાર કોઇપણ પોસ્ટ-મેસેજના ઓરિજનલ ડેટા માંગી શકાય છે. ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોશિયલ મીડિયા કંપનીઓ માટે ગાઇડલાઈન જારી કરી છે. ખરેખરમાં આ સોશિયલ મીડિયા પર રેગ્યૂલેશન લાવવા વિશે છે. મંત્રીએ ઘણા મુદ્દાઓ જણાવ્યા છે,

જેમાંથી એક એ છે કે જાે કોઈ સોશિયલ મીડિયા પર છેતરપિંડી કરે છે, તો કંપનીએ તેના ઓરિજનલ સોર્સને શોધી કાઢે. પરંતુ વોટ્‌સએપનું કહેવું છે કે, તે આ કરી શકતા નથી. વોટ્‌સએપ ઘણા સમય પહેલા જ કહ્યું હતું કે, અમે એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્શનના કારણે તે કરી શકતા નથી. પરંતુ આ વખતે તે માંગ નથી, પંરતુ ગાઇડલાઈન છે.

જાે વોટ્‌સએપ આ ગાઇડલાઈનને ફોલો કરવાની ના પાડી દે છે તો એવામાં શું થશે? વોટ્‌સએપ પર પ્રતિબંધ લગાવવામાં આવશે? વોટ્‌સએપને લઇને પહેલા જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વોટ્‌સએપ પર આ જાણકારી મેળવી શકાતી નથી કે, કોઇપણ મેસેજનો ઓરિજનલ ડેટા ક્યા છે. એવામાં શું હવે વોટ્‌સએપ ગાઇડલાઇન ના માને તો શું થશે? શું ભારતમાં બેન કરવામાં આવશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.