Western Times News

Gujarati News

પ્રભાસની ફિલ્મ આદિપુરૂષના સેટ પર આગઃકરોડોનું નુકશાન

ગોરેગાંવની ફિલ્મ સિટીમાં શૂટિંગ ચાલતું હતું-જાનહાની ટળી, ઘટના પાછળ ષડયંત્ર હોવાનું મનાય છે

મુંબઇ,  સાઉથના સુપર સ્ટાર પ્રભાસ અને બોલીવૂડ સ્ટાર સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષના સેટ પર લાગેલી આગના કારણે કરોડો રુપિયાનુ નુકસાન થયુ છે.

ચોંકાવનારી વાત એ છે કે, આ આગની ઘટના પાછળ કોઈ ષડયંત્ર હોવાનુ મનાઈ રહ્યુ છે. મુંબઈના ગોરેગાંવ સ્થિતિ ફિલ્મ સિટીમાં ફિલ્મનુ શૂટિંગ થઈ રહ્યુ છે. જાેકે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

એક અખબારી અહેવાલ પ્રમાણે શૂટિંગ શરુ થવાના પહેલા જ દિવસે આગ લાગવાની વાત ગળે ઉતરતી નથી. કારણકે શૂટિંગ દરમિયાન પણ તમામ તકેદારી લાખવામાં આવી રહી છે. રિપોર્ટમાં યુનિટના એક સભ્યને ટાંકીને કહેવાયુ છે કે, આ ષડયંત્ર હોઈ શકે છે.

દરમિયાન આગની ઘટનાને સૈફ અલી ખાને અગાઉ આપેલા નિવેદન સાથે જાેડીને પણ જાેવાઈ રહી છે. જેમાં સૈફ અલી ખાને ભગવાન રામ અને સીતા અંગે વિવાદિત બયાન આપ્યુ હતુ. જેના પર થયેલા ઉહાપોહ બાદ સૈફ અલી ખાને માફી પણ માંગી હતી. દરમિયાન ફિલ્મના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, સેટ પર કોઈ જાનહાનિ થઈ નથી. કોઈને ઈજા પણ થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.