Western Times News

Gujarati News

પૂર્વ મંત્રી ભરતભાઇ બારોટ કોરોનાની રસી લઇ સુરક્ષિત થયાં

પૂર્વ મંત્રીશ્રી ભરતભાઇ બારોટે  શાહીબાગ ખાતે કોરોનાની રસી લઇ પોતાની જાતને કોરોનાની મહામારી સામે સંરક્ષિત કરી હતી. તેમણે રસી લીધાં બાદ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે જે ત્વરિત પગલાઓ લેવાયાં છે તેને લીધે આપણે દેશમાં કોરોનાનો પ્રસાર રોકવામાં સફળ થયાં છીએ.

વિશ્વમાં સૌથી મોટા રસીકરણ કાર્યક્રમથી આપણે આપણી જાતને સુરક્ષિત કરી દેશને સુરક્ષિત કરવાનો છે. લોકો કોરોનાની રસી લેવાથી ગભરાય નહીં અને કોરોનાની રસી લેવા માટે આગળ આવે તે માટે તેમણે નાગરિક સમાજને અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.