Western Times News

Gujarati News

મહેસુલી તલાટી મંડળ સંવર્ગ ધ્વારા કલેકટર મહીસાગરને આવેદન પત્ર સુપરત

(પ્રતિનિધિ) લુણાવાડા : તાજેતરમાં ગુજરાત રેવન્યુ કર્મચારી મંડળે આપેલ હડતાલનું એલાન આપતાં તલાટી મંડળે પ્રત્યાઘાત આપતાં જણાવેલ કે, અમો રેવન્યુ કર્મચારી મંડળે હડતાલનું શ† ઉગામ્યું છે તેનો અમો વિરોધ કરીએ છીએ. આ પગલાને અમારા મંડળે વખોડી કાઢેલ છે તેવું કલેકટરશ્રીને આવેદનપત્ર આપતાં જણાવેલ કે તમામ તલાટીઓ કયારેય સરકારશ્રિ વિરૂધ્ધ પ્રવૃતિઓમાં ભાગ લીધેલ નથી અને હંમેશા સરકાર પક્ષે હકારાત્મક અભિગમ દાખવેલ છે તથા સરકારશ્રીના અધિકારીઓ તરફથી સોંપવામાં આવેલ કામગીરી સહર્ષ રીતે તથા નિષ્ઠાપૂર્ણ રીતે બજવેલ છે.

 

ગુજરાત રાજય કર્મચારી મંડળ ધ્વારા સંદર્ભવાળા પત્રથી તલાટીશ્રીઓની જાબચાર્ટ બનાવવામાં આવેલ ન હોવાથી મહેસુલી તલાટી ૧૩પ-ડી ની નોટીસની બજવણીની કામગીરી કરે છે તેવુ જણાવી મહેસુલી તલાટીની છબી સાથે સરકારશ્રીની છબી જાહેર જનતામાં ખરાબ કરવાનું પ્રયત્ન કરી રહયા છે જેને અમો સખત શબ્દોમાં વખોડી કાઢીને વિરોધ કરેલ. તલાટીશ્રીઓના એક પ્રતિનિધિ મંડળ કલેકટરશ્રી, આર.બી.બારડ સાહેબને મળીને આવેદનપત્ર આપ્યુ હતુ અને તલાટીનું મંડળ સરકારશ્રીના પડખે રહેલ છે. પ્રતિનિધિ મંડળમાં શ્રી એ.આર. દિક્ષિત તથા બીજા મહેસુલી તલાટી પણ ઉપÂસ્થત રહેલ.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.