Western Times News

Gujarati News

નર્મદા નદીમાં પુલીયાને તોડવાની કામગીરી હાથ ધરાઈ

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયાના ટોથીદરામાં વીસ દિવસ પહેલા લીઝોવાળાઓએ બનાવેલ ગેરકાયદેસર પુલીયા મામલતદારે તોડી નાખ્યા બાદ બેખોફ બનેલા લીઝોવાળાઓએ વીસ દિવસમા જ ફરીથી પુલીયા બનાવી દેતા તંત્ર ફરી હરકતમાં આવી ટોથીદરા અને ઝઘડીયા થી કબીરવડ જવાના રોડ પર નર્મદામાં સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવામાં આવેલ પાકું પુલીયુ તોડવાની કામગીરી ઝઘડીયા મામલતદાર અને જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

ઝઘડીયા તાલુકામાં ખનીજ ખનન ના ધંધાની આડેધડ ચાલતી કામગીરી બાબતે તંત્રની મીલીભગત જવાબદાર છે.લોકોના ઉહાપોહ બાદ અને નર્મદાના પ્રવાહની દયનિય હાલત થતા તંત્રએ મોડે મોડે પણ પગલાં ભરવાની શરૂઆત કરી છે.

નર્મદાના ઓછા પ્રવાહવાળા પટમાં સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ પાકુ પુલીયું તંત્ર દ્વારા તોડવામાં નથી આવતું

તંત્રની આ ઢીલી નીતિના કારણે ઝઘડીયાના ટોથીદરામાં વીસ દિવસ પહેલા ઝઘડીયા મામલતદાર જે.એ.રાજવંશી દ્વારા તોડી નાખવામાં આવેલ પુલીયા બેખોફ બનેલા લીઝ માલિકો અને સંચાલકો દ્વારા ફરી બનાવી દેવામાં આવ્યું હતું.કોઈ પણ ભોગે રેતી ખનન કરવા માટે ટોથીદરાના લીઝ સંચાલક દ્વારા તંત્રની ધાક પણ નહિ રાખી નીતિ નિયમ નેવે મૂકી ફરીથી નર્મદાના પ્રવાહને અવરોધરૂપ પુલીયુ બનાવી દીધું તેની પાછળ શાસક પક્ષના કોઈ મોટા માથાનું પીઠબળ હોવાની ચર્ચાએ જોર પકડ્‌યું છે. જેથી મામલતદાર દ્વારા કરાયેલ કામગીરીની અવગણના કરી ગેરકાયદેસર પુલીયુ ફરી બનાવી દેવામાં આવ્યું છે.

ઝઘડિયા મામલતદારને આ બાબતની જાણ થતા તેમની જીલ્લા ભૂસ્તર વિભાગને સૂચના આપી ફરી બનાવેલ પુલીયુ તોડાવી નાખવા જણાવ્યું હતું, જેથી આજરોજ જીલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા પોલીસ કાફલા સાથે ટોથીદરાનું પુલીયુ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ જયારે ટોથીદરા,તરસાલી,વેલુગામમાં ગત માસે નર્મદાના પ્રવાહને અવરોધરૂપ ગેરકાયદેસર પુલીયા તોડવાની કામગીરી ચાલતી હતી ત્યારે તંત્રને ઝઘડીયા થી કબીરવડ જવાના માર્ગ પર નર્મદાના પ્રવાહ પૂર્ણ રીતે અવરોધાય તેવું પુલીયુ કબીરવડ પ્રવાસનધામ વિકાસનું કામ કરતા સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવામાં આવેલ છે. તેને પણ તોડવા માટે સ્થાનિક ખેડૂતો તથા નર્મદા બચાવો અભિયાન ચલાવતા સંગઠનો દ્વારા રજૂઆત કરી હતી.

પરંતુ તંત્ર દ્વારા તે સમયે કબીરવડનો જોડતું પુલીયુ તોડવામાં આવેલ નહિ.જવાબદાર તંત્ર પર કબીરવડ ના પુલિયાને તોડવાનું દબાણ વધતા અને સ્થાનિક ખેડૂતોએ જણાવેલ કે જો તંત્ર આ પુલીયુ નહિ તોડે તો ખેડૂતો જાતે આ પુલિયાને તોડવાની કામગરી કરશે તેવી ચીમકી આપતા તંત્ર હરકતમાં આવ્યું છે અને કબીરવડ ને જોડતું આ પુલીયુ પણ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઝઘડીયા મામલતદાર જે.એ.રાજવંશી દ્વારા મશીનરી દ્વારા નર્મદાના પ્રવાહને અવરોધરૂપ ૧૫૦ મીટર થી વધુ લાબું પાકુ પુલીયુ તોડાવી રહ્યા છે. કામગીરી દરમ્યાન સામે કાંઠાના સરપંચ અને અન્ય લોકો પુલીયુ તોડવાની કામગરીમાં અવરોધરૂપ બનતા પોલીસની દરમ્યાનગીરીથી મામલો વધુ ઉગ્ર બનતા અટક્યો હતો.*

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.