Western Times News

Gujarati News

પશ્ચિમ રેલ્વે અમદાવાદથી સમસ્તીપુર જંક્શન વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પ્રતિકાત્મક

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 18 અને 25 એપ્રિલ અને 02 મે 2021 ના રોજ અમદાવાદ થી સમસ્તીપુર જંકશન તથા 21 અને 28 એપ્રિલ અને 05 મે 2021 ના રોજ સમસ્તીપુર જંકશન થી અમદાવાદ માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે અને વિશેષ ભાડા સાથે ચાલશે, જેની વિગતો નીચે મુજબ છે.

● 09453/09454 અમદાવાદ સમસ્તીપુર જંકશન અમદાવાદ સ્પેશિયલ (વિશેષ ભાડા સાથે) (કુલ 3 ટ્રીપ)

ટ્રેન નંબર 09453 અમદાવાદ – સમસ્તીપુર જંકશન સ્પેશિયલ 18 અને 25 એપ્રિલ અને 02 મે, 2021 થી દર રવિવારે 15:25 વાગ્યે અમદાવાદ થી ઉપડશે અને દર મંગળવારે સવારે 6:00 વાગ્યે સમસ્તીપુર જંકશન પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09454 સમસ્તીપુર જંકશન-અમદાવાદ સ્પેશિયલ સમસ્તીપુર જંકશનથી 21 અને 28 એપ્રિલ અને 05 મે 2021 થી દર બુધવારે સવારે 6:20 વાગ્યે ઉપડશે અને ગુરુવારે રાત્રે 22:40 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેનો માર્ગમાં બંને દિશામાં છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ભરતપુર, અચનેરા, મથુરા, હાથરસ સિટી, કાસગંજ, ફર્રુખાબાદ, કન્નૌજ, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરિયા સદર, સીવાન, છપરા, હાજીપુર અને મુઝફ્ફરપુર સ્ટેશનો પર રોકાશે.

આ સ્પેશિયલ ટ્રેન માં સેકન્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના આરક્ષિત કોચ રહેશે. આ ટ્રેન ખાસ ભાડા સાથે દોડશે. ટ્રેન નંબર 09453 નું આરક્ષણ તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર તારીખ 15 એપ્રિલ, 2021 થી શરૂ થશે.

મુસાફરો ટ્રેન ની સંરચના, આવર્તન, ઓપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપજ તથા ટ્રેનોના આગમન અને પ્રસ્થાનની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફરમ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશીયલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.