Western Times News

Gujarati News

સુશાંત સિંહ રાજપૂત પર બનેલ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું

મુંબઈ: બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના વણઉકેલ્યા રહસ્યની સ્ટોરી પર આધારિત ફિલ્મ ‘ન્યાયઃ ધ જસ્ટિસ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં દિવંગત સુશાંતસિંહ રાજપૂતનો રોલ ઝુબેર ભજવશે. જ્યારે શ્રેયા તેના ઓપોઝિટ રિયા ચક્રવર્તીના પાત્રમાં જાેવા મળશે. આ ફિલ્મમાં સુશાંતના પિતાના પાત્રમાં અસરાની જાેવા મળી રહ્યા છે.

આ ફિલ્મને તારીખ ૧૧ જૂને સુશાંતસિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા રિલીઝ કરવામાં આવશે. વિકાસ પ્રોડક્શન અંતર્ગત બનેલી ફિલ્મ ન્યાયઃ ધ જસ્ટિસનું આજે પોસ્ટર અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોત સંબંધિત સવાલોની આસપાસની હોવાનું જાેવા મળી રહ્યું છે. ‘ન્યાયઃ ધ જસ્ટિસ’ ફિલ્મનું ટીઝર ૫૮ સેકન્ડનું છે

તેની શરૂઆત પણ ખૂબ ધમાકેદાર અંદાજમાં થાય છે. આ ટીઝરની શરૂઆત પ્રખ્યાત એક્ટર મહિન્દર સિંહના મોતના બ્રેકિંગ ન્યૂઝથી થાય છે. જેણે તેના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. આ ટીઝર જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ તમારી આંખો સામે જાણે સુશાંતસિંહ રાજપૂતનો કેસ ચાલી રહ્યો હોય તેવું લાગશે. ફિલ્મ ન્યાયઃ ધ જસ્ટિસ’ના નિર્દેશક દિલીપ ગુલાટીએ કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતના મોતના સમાચાર સાંભળીને હું ચોંકી ગયો હતો.

હું તેને વ્યક્તિગતરીતે નથી જાણતો પણ આપણે બધાએ એવું અનુભવ્યું કે જાણે કોઈ અંગત વ્યક્તિ ચાલ્યું ગયું હોય. આ ફિલ્મના માધ્યમથી લોકો વચ્ચે અમે એક સંદેશ આપવા માગીએ છીએ કે પોતાનો જીવ લેવો યોગ્ય વાત નથી, હંમેશાં એક વિકલ્પ તો હોય જ છે. આ ફિલ્મ ન્યાયઃ ધ જસ્ટિસ’માં સુશાંતના પિતા રૂપે અસરાની જ્યારે એનસીબીના પ્રમુખ રૂપે શક્તિ કપૂર જાેવા મળશે. એક્ટ્રેસ સુધા ચંદ્રન સીબીઆઈ ચીફના રોલમાં જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.