Western Times News

Gujarati News

ચંડોળા નજીક રીક્ષા અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત : બે ઘાયલ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદમાં મધ્યમ વર્ગ માટે મેટ્રો ટ્રેન સમી બીઆરટીએસ બસના કોરીડોરમાં આજે સવારે વધુ એક અકસ્માતની ઘટના બની છે ઈસનપુર નજીક આવેલા ચંડોળા તળાવ પાસે રીક્ષા ડ્રાઈવર બીઆરટીએસના કોરીડોરમાં ઘુસી જતાં આ અકસ્માત સર્જાયો હોવાની માહીતી પ્રાથમિક તબક્કે મળી રહી છે.

આજે સવારે સાત વાગ્યાના સુમારે ઈસનપુર ચંડોળા તળાવ ત્રણ રસ્તાથી દાણીલીમડા તરફ જવાના રસ્તે એક રીક્ષા ચાલક મુસાફરો લઈ બીઆરટીએસના કોરીડોરમં ઘુસ્યો હતો એ વખતે કોરીડોરમાં આવતી એસ.ટી બસી સાથે ધડાકાભેર રીક્ષા અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે બીઆરટીએસ કોરીડોર ઉપરાંત બાજુના માર્ગ ઉપર પણ ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસને જાણ થતાં કે ડીવીઝન ટ્રાફિક પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો. જયારે ગંભીર રીતે ઘાયલ રીક્ષા ચાલક તથા અન્ય ઈજાગ્રસ્ત મુસાફરને એલ.જી. હોસ્પિટલમાં  સારવાર અર્થે ખસેડયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.