Western Times News

Gujarati News

અમદાવાદ ડિવિઝન દ્વારા સ્વચ્છ સાબરમતી અભિયાનમાં જનભાગીદારી

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા આજે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી દિપક કુ. ઝા ના નેતૃત્વમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલ સ્વચ્છ સાબરમતી નદી અભિયાનમાં ભાગ લીધો. તથા શ્રમદાન કરી સાફ-સફાઈ કરી. આ પ્રસંગે દૃષ્ટિ ફાઉન્ડેશન તથા રેડિયો સીટીની સહભાગીતાથી મોટી સંખ્યામાં કચરો એકત્રિત કરી અભિયાન ચલાવ્યું.

શ્રી ઝાએ જણાવ્યું હતુ કે સ્વચ્છતામાં ઇશ્વરનો વાસ હોય છે તથા આપણે આપણી આજુબાજુના વાતાવરણને પણ સ્વચ્છ રાખીને પર્યાવરણમાં યોગદાન આપવું જોઇએ. તેમના જણાવ્યા અનુસાર આ એક ટીમવર્ક છે તેમજ વ્યક્તિ દૃઢ સંકલ્પ કરે કે તે ના તો કચરો ફેંકશે કે ના તો બીજાને એવુ કરવા દેશે તો જ આપણું વાતાવરણ ઘણું સ્વચ્છ રહી શકે છે. આનાથી આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે. અપર રેલ પ્રબંધક શ્રી પરિમલ એન શિંદે એ પણ શ્રમદાનમાં ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.