Western Times News

Gujarati News

ત્રણ રથ, પાંચ વાહન સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી

૨૪ કિમી જેટલા લાંબા રુટને આ રથયાત્રા ૪-૫ કલાકમાં કવર કરીને નિજ મંદિર પરત ફરશે, હાથી, ભજન મંડળી તેમજ અખાડા પર પ્રતિબંધ લગાવાયો

અમદાવાદ,કોરોનાના કેસમાં થઈ રહેલા સતત ઘટાડા વચ્ચે સરકારે આ વર્ષે અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા માટે મંજૂરી આપી દીધી છે. જાેકે, આ વર્ષે નીકળનારી ૧૪૪મી રથયાત્રામાં માત્ર પાંચ વાહનો અને ત્રણ રથ સિવાય બીજું કંઈ નહીં હોય. ૨૪ કિમી જેટલા લાંબા રુટને આ રથયાત્રા ૪-૫ કલાકમાં જ કવર કરીને નિજ મંદિર પરત ફરશે.

આ વખતે સરકારે રથયાત્રાની શોભા સમાન ગણાતા હાથી, ભજન મંડળી તેમજ અખાડાને ભાગ લેવાની મનાઈ ફરમાવી દીધી છે.આ મામલે જાણકારી આપતા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રથયાત્રા પહેલા યોજાનારી મંગળા આરતીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે. જે વિસ્તારોમાંથી રથયાત્રા નીકળવાની છે, તે વિસ્તારોમાં આવતા પોલીસ સ્ટેશનોની હદમાં સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી કરફ્યુનું પાલન કરાવવામાં આવશે.

આ ઉપરાંત, જે ખલાસીભાઈઓ રથ ખેંચવાના છે તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે, અને તેમના માટે વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લેવાનું પણ ફરજિયાત કરાયું છે. આ વખતે ભગવાનના મામાના ઘર એટલે કે સરસપુરમાં ભક્તોને બપોરનું ભોજપન પણ નહીં કરાવાય.

જાે આ પ્રોટોકોલનો ભંગ થયો તો જે-તે વ્યક્તિ સામે સખ્ત પગલાં લેવાશે તેવું પણ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે. જાડેજાએ કહ્યું હતું કે, લોકોની આસ્થાનું જતન થાય તે માટે આ વખતે કોરોનાકાળમાં પણ રથયાત્રાને મંજૂરી અપાઈ છે, પરંતુ રથયાત્રામાં કોરોનાનો પ્રસાર ના થાય તે વાતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.

રથયાત્રાના દિવસે અમદાવાદના તમામ એન્ટ્રી પોઈન્ટ્‌સ પર બેરિકેટર્સ ગોઠવી દેવાશે અને આસપાસના શહેરો-ગામડાંમાંથી રથયાત્રા જાેવા આવતા લોકોને અટકાવાશે. રથયાત્રા દરમિયાન સાબરમતી નદી પરના તમામ પુલો પર વાહનોની અવરજવર નિયંત્રિત રહેશે. આ ઉપરાંત, આ વખતે છસ્ઝ્રની કચેરી સહિત રથોને ક્યાંય અટકાવવામાં નહીં આવે. જેવી રથયાત્રા પરત ફરે કે તરત જ કરફ્યુ ઉઠાવી લેવાશે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૦માં ઈતિહાસમાં પહેલીવાર રથયાત્રા નહોતી નીકળી શકી. કોરોનાને કારણે ગતવર્ષે મંદિરના પ્રાંગણમાં જ રથ ફેરવવામાં આવ્યા હતા. જાેકે, આ વર્ષે ગત વર્ષ કરતાં સ્થિતિ ખાસ્સી કાબૂમાં છે, અને વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે ત્યારે સરકાર રથયાત્રાને શરતી મંજૂરી આપશે તેવી અટકળો ચાલી રહી હતી.

બીજી તરફ, ગયા વર્ષે રથયાત્રા ના નીકળી શકતા જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજ રોષે ભરાયા હતા, અને આ વખતે પણ તેમણે જણાવ્યું હતું કે રથયાત્રા કોઈપણ સંજાેગોમાં નીકળશે જ.

સામાન્ય રીતે રથયાત્રામાં લાખો લોકોની ભીડ ઉમટતી હોય છે. કોરોના હાલ ભલે કાબૂમાં હોય, પરંતુ તેની ત્રીજી લહેરનો ખતરો હજુય યથાવત છે તેવામાં રથયાત્રાને કારણે તેનો પ્રસાર વધી ના જાય તે હેતુથી સરકારે કડક નિયંત્રણો સાથે તેને મંજૂરી આપી છે. કરફ્યુ હોવાના કારણે સામાન્ય નગરજનો રથયાત્રા જાેવા માટે એકત્ર નહીં થઈ શકે,

અને ગજરાજાેની સવારી તેમજ અખાડા, ભજનમંડળી અને શણગારેલા ટ્રકો વિના નીકળનારી રથયાત્રા પણ ઘણી સાદી રહેશે. સવારે જ નીકળતી રથયાત્રા આમ તો રાત સુધીમાં મંદિરે પહોંચતી હોય છે, પરંતુ આ વખતે બપોરે બે વાગ્યા પહેલા જ ત્રણેય રથોને મંદિરમાં પહોંચાડી દેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.