Western Times News

Gujarati News

અંબાજીમાં શ્રદ્ધાળુનો ભારે ધસારો

૪૪ હજારથી વધુ યાત્રીઓએ ૩૪૯ વાહનો દ્વારા લાભ લીધો- શ્રદ્ધાળુઓમાં અંબાજી ખાતે દર્શન કરવા પડાપડી

અમદાવાદ,  અંબાજી મહામેળામાં શ્રદ્ધાળુઓનો જારદાર ધસારો જારી રહ્યો છે. અંબાજી મહામેળાને ધ્યાનમાં લઇને એસટી દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે હજારો લોકોએ આનો લાભ ઉઠાવ્યો છે. આ પ્રવાહ હાલ જારી રહે તેવી શક્યતા છે. ભાદરવી પૂર્ણિમા નિમિત્તે અંબાજી ખાતે મહામેળો યોજાઇ રહ્યો છે. આ મહામેળામાં યાત્રાળુઓને યોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી, એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું. છે.

જેમાં, તા. ૮મી સપ્ટેમ્બરરના રોજ પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગ દ્વારા ૧૨૯૬ ટ્રીપ્ના, આયોજન થકી નિગમને એક જ દિવસમાં ૨૮,૦૫, ૭૧૫/-ની આવક થઇ છે.

વધુમાં કુલ ૩૪૯ વાહનો દ્વારા ૪૪,૬૮૬ યાત્રાળુઓએ લાભ લીધો છે. આ દરમિયાન એસ.ટી. નિગમ GSRTCની બસો દ્વારા ૧,૦૨,૭૩૦ કિ.મી.નું અંતર કાપવામાં આવ્યું હતું તેમ એસ.ટી. નિગમના સચિવની અખબારી યાદીમાં જણાવાયું છે. મેળાને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓમાં જાવા મળી રહ્યો છે. મેળાના પરિણામ સ્વરુપે અંબાજી જતા માર્ગો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જાવા મળી રહી છે.

જુદી જુદી જગ્યાઓ ઉપર જુદા જુદા સંગઠનોના સ્વૈÂચ્છક લોકો સેવા માટે સક્રિય થયા છે. શ્રદ્ધાળુઓની સેવા માટે ચા-કોફી, નાસ્તા અને ભોજન માટે શિબિર લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાંથી જ નહીં બલ્કે દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે.

આ પદયાત્રીઓ માતાના દર્શન કરવા માટે ઉત્સાહિત થયેલા છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનનમાં લઇને એસટી વિભાગ તરફથી પણ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રથી પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માતાના દર્શન સરળરીતે કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગાંધીનગર, અમદાવાદથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. મોટા ચિલોડા, હિંમતનગર થઇને અંબાજી જતા માર્ગો પર જય અંબેના જયઘોષ સાંભળવા મળી રહ્યા છે.

શ્રદ્ધાળુઓમાં શ્રદ્ધા અભૂતપૂર્વ જાવા મળી રહી છે. આ ઉપરાંત ચાંદખેડા-ગાંધીનગર, રિંગરોડ, ચિલાડો, હિંમતનગર માર્ગો ઉપર રાત દિવસ માતાના રથ અને ધજા સાથે શ્રદ્ધાળુઓ જાવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે હિંમતનગરમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ-હિંમતનગર રાજમાર્ગ ઉપર ઉદય ફાર્મમાં શ્રદ્ધાળુઓ માટે આરામ, ભોજન અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાની શરૂઆત થયા બાદ હવે ૧૪મી સપ્ટેમ્બર સુધી અંબાજી મહામેળો ચાલનાર છે. ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેળાની શરૂઆત કરાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.