Western Times News

Gujarati News

દિવ્યાંગ વ્યક્તિઓ માટે પ્રવાસ યોજાયો

(પ્રતિનિધિ) પાલનપુર 10062019 : પાલનપુર ખાતે રહેતા અને દિવ્યાંગ એવા બે વ્યક્તિઓ કે જે હંમેશા દિવ્યાંગો માટે જ વિચારતા હોય છે. ખોડલા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી બકુલચંદ્ર વી. પરમાર (પત્રકાર) બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી કપીલ એસ. ચૌહાણ જેમણે દિવ્યાંગો માટે પ્રવાસનું આયોજન કર્યું. પ્રવાસ- પાલનપુરથી મગરવાડા, શેભરગોગ, કડા- સિધ્ધેશ્વરી મંદિર, તિરૂપતિ નેચરલ પાર્ક (વોટર પાર્ક) ઐઠોર ગણપતિ મંદિર, ઉંઝા ઉમિયા માતાજી વિગેરે સ્થળોએ રપ જેટલા દિવ્યાંગોને પ્રવાસ કરાવ્યો તેમને લઈ જવા લાવવા સાથે ચા- નાસ્તાની નિઃશુલ્ક વ્યવસ્થા કરેલ.

પ્રવાસને સફળ બનાવવા વાવ ના દિનેશભાઈ ભાણજીભાઈ બ્રાહ્મણ, વિષ્ણુભાઈ સોલંકી (કાપરા), કિર્તીભાઈ એસ. ચૌહાણ વિગેરેએ ખુબ સારો સહયોગ ઓપલો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.