Western Times News

Gujarati News

હિમાચલના કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે ૯ લોકોના મોત નિપજયાં

શિમલા: હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ૯ લોકોનાં મોત થાય છે. આ સાથે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. કિન્નૌર જિલ્લાના બટસેરીના ગુંસા નજીક પથ્થરો પડવા લાગતા પરિસ્થિતિ ભયંકર બની હતી. પર્વતો પરથી પડતા વિશાળ પથ્થરોને કારણે બટસેરી બ્રિજ તૂટી ગયો. આ સાથે નજીકમાં પાર્ક કરેલા વાહનોને સંપૂર્ણપણે નુકસાન થયું હતું.

પર્વતો પરથી પથ્થરો પડી જવાને કારણે તેની નીચે પાર્ક કરેલી કારને નુકસાન થયું હતું. આ કારમાં સવાર ૯ લોકોનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે. કારમાં સવાર પ્રવાસીઓ દિલ્હી અને ચંદીગઢથી હિમાચલની મુલાકાતે આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.