Western Times News

Gujarati News

નારોલમાં ગબ્બરે મૂર્તિકાર પાસે ખંડણી માગતા ચકચાર

અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાણે કે કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં એક પછી એક એમ વીસ દિવસમાં હત્યાના આઠ બનાવો બન્યા હતા. બાદમાં વસ્ત્રાપુરમાં કરોડોની લૂંટનો પ્રયાસ અને હવે નારોલમાં ખંડણી માટે મૂર્તિકાર પર ફાયરિંગનો બનાવ બનવા પામ્યો છે. ગુનેગારોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં આજે મોડી સાંજે ફાયરિંગની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલા રામદેવ એસ્ટેટમાં મૂર્તિ બનાવતા ૫૫ વર્ષીય મૂર્તિકાર પરમસુખ પ્રજાપતિને બે દિવસ અગાઉ નનામો ફોન કરીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ૨૩ તારીખે મળી ધમકીને લઈને મૂર્તિકારએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી એ ખંડણી માટે ધમકી આપનાર વ્યક્તિનું નામ પૂછયા તે ગબ્બર બોલી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

મૂર્તિકારને હતું કે કોઈ મજાક મસ્તી કરી રહ્યું છે. જ્યારે તેઓ કારીગર સાથે કારખાના પર હાજર હતા તે દરમિયાન ત્રણ બાઈક સવારો તેમના કારખાને આવે છે તેમાંના એક વ્યક્તિએ બાઈક પર ઉતરીને મૂર્તિકાર પર ફાયરિંગ કરે છે ત્યારબાદ ત્રણેય શખ્શો ત્યાંથી ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના કારખાનાની બહાર લાગેલા સીસીટીવી માં કે થઈ છે.

જ્યારે આ બનાવ બન્યો હતો તે સમયે મૂર્તિકાર સહિત પાંચ લોકો મૂર્તિ બનાવવાનું કામ કરી રહ્યા હતા. હાલમાં મૂર્તિકાર ને સામાન્ય ઇજા થઇ છે અને તે બનાવેલી મૂર્તિ પણ ખંડિત થઈ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતો. અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.