Western Times News

Gujarati News

ઓઢવમાં પ્રેમલગ્ન કરનાર યુવક પર સશસ્ત્ર હુમલો

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના ઓઢવમાં પ્રેમલગ્ન કરનાર યુવક પર બે શખ્સોએ હુમલો કરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં  હોસ્પિટલમાં   ખસેડવામાં આવ્યો છે આ અંગે ઈજાગ્રસ્ત યુવકના પિતાએ તેના સાસરિયા પર શંકા વ્યકત કરતા પોલીસ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામજી મંદિરની બાજુમાં એ-૩૯માં આર્શિવાદ બંગ્લોઝમાં રહેતા પ્રતિક ઘનશ્યામભાઈ પટેલ ગઈકાલે રાત્રિના સમયે મસાલો ખાવા માટે ઘરની બહાર અેક્ટિવા  લઈને નીકળ્યો હતો પ્રતિકે થોડા સમય પહેલા જ એક યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યાં છે અને તેનાથી યુવતિના પરિવારજનો ખૂબ જ નારાજ છે અને તેઓ અવારનવાર ધમકી પણ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તા.૧૧મીના રોજ પ્રતિક સાંજના સમયે અેક્ટિવા  લઈ બહાર નીકળ્યા બાદ મોડી રાત સુધી ઘરે પરત ફર્યો ન હતો અને તેઓ સતત તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા હતા

આ દરમિયાન રાત્રે ૧ર.૧પ વાગ્યે ફોન કરતા કોઈ અજાણ્યા શખ્સે ફોન ઉપાડયો હતો અને તેમણે કહયું હતું કે આ વ્યક્તિ  હાલ હોસ્પિટલમાં   દાખલ છે તેથી પ્રતિકના પિતા ઘનશ્યામભાઈ અને પ્રતિકની પત્નિ  તાત્કાલિક અેક્ટિવા  લઈને સ્વયંભૂ  હોસ્પિટલમાં  પહોચી ગયા હતા ત્યાં તપાસ કરતા પ્રતિક લોહીલુહાણ હાલતમાં આઈસીયુમાં દાખલ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતિક અેક્ટિવા  લઈને પર્યાવરણ મંદિર રોડ પર ઉભો રહયો હતો ત્યારે અચાનક જ બે શખ્સો આવ્યા હતા અને તેના પગે છરીના ઘા ઝીંકી દીધા હતા આ સમયે દિપક નામનો મિત્ર તેની સાથે હતો પ્રતિકના પિતાએ આ સમગ્ર ઘટનામાં તેની પત્નીના પિયરીયાઓ પર શંકા વ્યકત કરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.