Western Times News

Gujarati News

S.G.Highway પર રેસ્ટોરન્ટની બહાર કારમાં બેસી વહેપારીએ એસીડ પીધુ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી આત્મહત્યાની ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી રહી છે જેમાં બે દિવસ પહેલા શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા એક યુવાન વહેપારીએ એસ.જી. હાઈવે પર એક રેસ્ટોરન્ટની બહાર પોતાની ગાડી પાર્ક કરી તેમાં બેઠા બેઠા એસીડ પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં   ખસેડવામાં આવ્યો હતો જયાં તેનુ મોત નીપજયું હતું

જયારે ગોમતીપુર વિસ્તારમાં વધુ એક યુવકે આર્થિક સકડામણમાં આત્મહત્યા કરતા જ સ્થાનિક નાગરિકોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ અંગેની વિગત એવી છે કે શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન હેઠળના પ્રહલાદનગર ગાર્ડન પાસે શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા ર૭ વર્ષના યુવાન રસિકભાઈ પ્રેમજીભાઈ પરમારે અગમ્ય કારણોસર તા.૧૦મીના રોજ પોતાની કાર લઈને રાત્રિના સમયે એસ.જી. હાઈવે પર આવેલી રાધે રેસ્ટોરન્ટમાં ગયા હતા અને ત્યાં રેસ્ટોરન્ટ પાસે પોતાની કાર પાર્ક કરી અંદર બેઠા બેઠા જ એસીડ પી લીધુ હતું

આ દરમિયાનમાં પસાર થતાં લોકોએ રસિકભાઈને ગંભીર હાલતમાં જાતા તાત્કાલિક તેમને સારવાર અર્થે તપન હોસ્પિટલમાં  ખસેડયા હતાં જયાં ટુકી સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજયું હતું આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓએ પણ સ્થળ પર પહોચી જઈ તપાસ શરૂ કરી હતી અકસ્માતનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ કરવામાં આવી રહી છે આ અંગે આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં બે દિવસ પહેલા જ એક યુવકે બેકારી અને મંદિના કારણે રોજગારીના અભાવે અંતિમ પગલુ ભરી લેવાની ઘટનાની હજુ તપાસ ચાલુ છે ત્યારે વધુ એક યુવાને આત્મહત્યા કરી છે. ગોમતીપુર ઝુલતા મીનારા પાસે આવેલી કોઠાવાલા વહોરાની ચાલીમાં રહેતો ૩૦ વર્ષીય યુવાન જીતેન્દ્રભાઈ ચાવડા છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીના કારણે માનસિક રીતે વ્યથિત જાવા મળતા હતા આ દરમિયાનમાં ગઈકાલે તેમણે પોતાના ઘરમાં જ ગળફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

પરિવારજનોએ બુમાબુમ કરતા આસપાસના લોકો આવી પહોચ્યા હતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ગોમતીપુર પોલીસે જીતેન્દ્ર ચાવડાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.