Western Times News

Gujarati News

કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોની ફી માફ

વડોદરા, છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોના સંકટની અસર અનેક લોકોના જીવન પર પડી છે. હજુ પણ દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત છે. કોરોનાને કારણે ધંધા-રોજગારથી લઈને પરિવાર પર પણ મોટી અસર પડી છે. કોરોના કાળમાં અનેક લોકોએ પોતાના માતા-પિતા પણ ગુમાવી દીધા છે. દેશમાં અનેક બાળકો અનાથ બની ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ આવા બાળકોની સાવચેતી માટે અનેક મહત્વની જાહેરાત કરી છે. ત્યારે વડોદરાની મહારાજા સયાજીવાર યુનિવર્સિટીએ પણ સંવેદનશીલ ર્નિણય કર્યો છે.

વડોદરાની એમએસ યુનિવર્સિટીએ કોરોના સંકટને જાેતા મહત્વનો ર્નિણય લીધો છે. એમએસ યુનિવર્સિટી કોરોના કાળમા માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની ફી માફ કરશે. યુનિવર્સિટીએ કોરોનામાં માતા અથવા પિતા ગુમાવનાર વિદ્યાર્થીની ફી પણ માફ કરવાનો ર્નિણય કર્યો છે. મહત્વનું છે કે યુનિવર્સિટીના આ ર્નિણયથી કોરોના કાળમાં અનાથ બનેલા વિદ્યાર્થીઓને મોટો લાભ થઈ શકે છે. એમએસ યુનિવર્સિટીએ બીજાે એક મહત્વનો ર્નિણય લીધો છે. યુનિવર્સિટી પ્રમાણે જે શહીદ જવાનના બાળકો અહીં અભ્યાસ કરે છે તેની ફી પણ માફ કરવામાં આવશે. આ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર વિદ્યાર્થી જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેની પણ ફી માફ કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.