Western Times News

Gujarati News

૫ વર્ષમાં ખેડૂત પરિવાર પર સરેરાશ દેવું ૫૭ ટકા વધ્યું

Files Photo

નવીદિલ્હી, ખેડૂત પરિવારોનું એવરેજ બાકી દેવું વર્ષ ૨૦૧૮મા ૫૭.૭ ટકા વધીને ૭૪,૧૨૧ રૂપિયા થઈ ગયું છે જે કે પાંચ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૩મા ૪૭૦૦૦ રૂપિયા હતું. આ વાત રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલયના એક સર્વેમાં હાલના તારણોમાં સામે આવી છે.

મિનિસ્ટ્રી ઓફ પ્રોગ્રામ ઇમ્પલિમેન્ટેશન એન્ડ સ્ટેટિક્સ (કાર્યક્રમ કાર્યાન્વય અને સાંખ્યિકી મંત્રાલય)એ શુક્રવારે (૧૦ સપ્ટેમ્બર ૨૦૨૧)ના રોજ સર્વે (ગ્રામીણ ભારતમાં પરિવારોની કૃષિ પરિવારો અને ભૂમિ જ્યોતની સ્થિતિ ૨૦૧૯)ના તારણ જાહેર કર્યા હતા.

તેમાં એ પણ અનુમાન લગાવવામાં આવ્યું કે વર્ષ ૨૦૧૨-૧૩મા ૬૪૨૬ રૂપિયાની તુલનામાં વર્ષ ૨૦૧૮-૧૯મા ચુકવણી કરવામાં આવેલા ખર્ચના દૃષ્ટિકોણના આધાર પર અલગ અલગ સ્ત્રોતોથી એવરેજ માસિક ઇનકમ ૫૯ ટકા વધીને ૧૦,૨૧૮ રૂપિયા થઈ ગઈ. ઇનકમમાં વૃદ્ધિનું ૫૦ ટકાથી વધારે માસિક વેતનનું કારણ હતું.

વર્ષ ૨૦૧૩મા ૨૦૭૧ રૂપિયાની તુલનામાં વર્ષ ૨૦૧૮મા લગભગ બેગણી થઈને ૪૦૪૩ થઈ ગઈ છે. ભારતમાં કૃષિ વર્ષની શરૂઆત જુલાઈથી થાય છે અને આગામી જૂનમાં પૂર્ણ થાય છે.સર્વેમાં જુલાઇ-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન ૪.૬૭ કરોડ રૂપિયાનું બાકી દેવુંવાળા કૃષિ પરિવારોની સંખ્યાની પણ જાણકારી મળી, જે વર્ષ ૨૦૧૩ના અનુમાનથી લગભગ એક લાખ ઓછા છે.

વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન કૃષિ પરિવારોની સંખ્યા ૯.૩૦ કરોડની અનુમાનિત કરવામાં આવી હતી. સર્વે દરમિયાન બે વખતમાં જાણકારી એકત્ર કરવામાં આવી. જુલાઇ-ડિસેમ્બર ૨૦૧૮ અને જાન્યુઆરી-જૂન ૨૦૧૯. બાકી દેવુંનો ડેટા એ દિવસ લેવામાં આવ્યો હતો જે દિવસે પહેલી મુલાકાત દરમિયાન સર્વેક્ષણ કરવામાં આવેલા પરિવારો પાસેથી જાણકારી એકત્ર કરવામાં આવી હતી.

સર્વે એક કૃષિ પરિવારને કૃષિ ગતિવિધિઓના ઉપજાવ મૂલ્યના રૂપમાં ૪૦૦૦ રૂપિયાથી વધારે પ્રાપ્ત કારનારના રૂપમાં પરિભાષિત કરે છે (ઉદાહરણ તરીકે ખેતરનો પાક, બાગાયતી પાક, ચારાનો પાક, વૃક્ષારોપણ, પશુપાલન, મરઘીપાલન, મત્સ્ય પાલન, સુઅર પાલન, મધમાખી પાલન, વર્મીકલ્ચર, રેશમ ઉત્પાદન વગેરે) અને ગત એક વર્ષ એટલે કે ૩૬૫ દિવસોમાં ઓછામાં ઓછા એક સભ્ય સ્વરોજગારમાં અથવા તો મુખ્ય સ્થિતિમાં કે સહાયક સ્થિતિમાં છે.

જુલાઇ-ડિસેમ્બર ૨૦૧૮મા રાષ્ટ્રીય એવરેજ બાકી દેવું ૭૪,૧૨૧ રૂપિયા હતું. તે આંધ્ર પ્રદેશમાં સૌથી વધારે ૨.૪૫ લાખ રૂપિયા અને નાગાલેન્ડમાં સૌથી ઓછું ૧,૭૫૦ રૂપિયા હતું. જે ૨૮ રાજ્યના ડેટા ઉપલબ્ધ છે તેમાંથી ૧૧ રાજ્ય આંધ્ર પ્રદેશ, કેરળ, પંજાબ, હરિયાણા, તેલંગાણા, કર્ણાટક, રાજસ્થાન, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના પ્રતિ પરિવારનું એવરેજ બાકી દેવું રાષ્ટ્રીય એવરેજથી વધારે (૨૦૧૮) હતું.

ત્રણ રાજ્ય આંધ્ર પ્રદેશ (૨.૪૫ લાખ રૂપિયા), કેરળ (૨.૪૨ લાખ રૂપિયા) અને પંજાબ (૨.૦૨ લાખ રૂપિયા)મા પ્રતિ કૃષિ પરિવારનું બાકી દેવું ૨ લાખ રૂપિયાથી વધારે હતું. જ્યારે ૫ રાજ્ય હરિયાણા (૧.૮૨ લાખ રૂપિયા), તેલંગાણા (૧.૫૨ લાખ રૂપિયા), કર્ણાટક (૧.૨૬ લાખ રૂપિયા), રાજસ્થાન (૧.૧૩ લાખ રૂપિયા) અને તમિલનાડુ (૧.૦૬ લાખ રૂપિયા)માં તે એક લાખ રૂપિયાથી વધારે હતું. વર્ષ ૨૦૧૩ અને વર્ષ ૨૦૧૮ વચ્ચે ૨૫ રાજ્યોમાં પ્રતિ કૃષિ પરિવાર એવરેજ બાકી દેવું ૧૩.૫૨ ટકાથી વધીને ૭૦૯ ટકા થઈ ગયું છે જ્યારે ત્રણ રાજ્ય તામિલનાડુ (-૮ ટકા), મણિપુર (-૯ ટકા) અને અરુણાચલ પ્રદેશ (૩૪ ટકા)માં ઘટાડો નોંધવામાં આવ્યો.

ટકાવારીના હિસાબે ૧૬ રાજ્યમાં રાષ્ટ્રીય એવરેજ ૫૭.૭ ટકાથી વધારે વૃદ્ધિ જાેવા મળી. તેમાં ૧૦મા ૧૦૦ ટકાથી વધારે વૃદ્ધિ નોંધવામાં આવી. મિઝોરમ (૭૦૯ ટકા), આસામ (૩૮૨ ટકા), ત્રિપુરા (૩૭૮ ટકા), સિક્કિમ (૨૨૫ ટકા), હિમાચલ પ્રદેશ (૨૦૬ ટકા), નાગાલેન્ડ (૧૯૧ ટકા), જમ્મુ-કાશ્મીર (૧૪૯ ટકા), મધ્ય પ્રદેશ (૧૩૧ ટકા), હરિયાણા (૧૩૧ ટકા) અને છત્તીસગઢ (૧૧૦.૨૩ ટકા)
પ્રતિ કૃષિ પરિવાર ૧૦,૨૧૮ રૂપિયાની એવરેજ માસિક ઇનકમ (ચુકવણી કરવામાં આવેલા ખર્ચના દૃષ્ટિકોણના આધાર પર)માં ૪૦૬૩ રૂપિયા મજૂરીથી આવ્યા. જમીનને પટ્ટા પર આપવાથી ૧૩૪ રૂપિયા, પાક ઉત્પાદનથી શુદ્ધિ પ્રાપ્તિના રૂપમાં ૩૭૯૮ રૂપિયા, પશુપાલનથી ૧૫૮૨ રૂપિયા અને ગેર કૃષિ વ્યવસાયથી ૬૪૧ રૂપિયા આવ્યા. વર્ષ ૨૦૧૮-૧૯મા પ્રતિ કૃષિ પરિવારે ચુકવણી કરવામાં આવેલા ખર્ચ અને લગાવવામાં આવેલા ખર્ચ પદ્ધતિના આધાર પર એવરેજ માસિક ઇનકમ ૮૩૩૭ રૂપિયા અનુમાનિત કરવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.