Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૨૦૭૯૯ નવા કેસ

નવી દિલ્હી, છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૧૨ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે ૭૪ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તો મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૨૬૯૨ નવા કેસ નોંધાયા છે અને ૪૧ દર્દીનાં મોત થયા છે. આ બે રાજ્યોના કારણે જ દેશમાં સંક્રમણનો આંક ૨૦ હજારને પાર થયો છે.

બીજી તરફ, ગુજરાતમાં પણ સંક્રમણના કેસોમાં થોડો વધારો નોંધાયો છે. સુરતમાં કેસો વધતા તંત્ર તકેદારીના પગલા રૂપે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી રહ્યું છે. સોમવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૦,૭૯૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.

આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૮૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૮,૩૪,૭૦૨ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૯૦,૭૯,૩૨,૮૬૧ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૩,૪૬,૧૭૬ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૩૧ લાખ ૨૧ હજાર ૨૪૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૨૬,૭૧૮ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૨,૬૪,૪૫૮ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૮,૯૯૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૭,૪૨,૫૨,૪૦૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

રવિવારના ૨૪ કલાકમાં ૯,૯૧,૬૭૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૩ કેસ નોંધાયા છે. જેની સામે ૧૪ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજ્યમાં કુલ રસીના કુલ ૬,૧૪,૪૪,૩૫૪ ડોઝ આપવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.