Western Times News

Gujarati News

બે ભાગમાં મળી આવેલા મૃતદેહનું રહસ્ય હજુ અકબંધ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : એલિસબ્રિજ વિસ્તારમાં વિકટોરીયા ગાર્ડન નજીક માણેકબુર્જ પાસેથી મળી આવેલી એક અજાણી વ્યક્તિ વિકૃત લાશનો હજુ સુધી પોલીસ ભેદ ઉકેલી શકી નથી ત્યારે ભેદી સંજાગોમાં બનેલી આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને લાશના અવશેષો એેફએસઅલ ખાતે મોકલી આપવામાં છે અને સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અઆ અંગેની વિગત એવી છે કે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા વિક્ટોરીયા ગાર્ડન નજીક માણેકબુર્જ પાસેથી ગઈકાલે સવારે ૧૧ વાગ્યાની આસપાસ એક મૃતદેહના સળગી ગયેલા અવશેષો મળી આવ્યા હતા. માથુ એક તરફથી અને શરીરના બીજા અંગો અન્ય સ્થળેથી મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મૃતકના અંગે અને મળી આવેલા અવશેષો જાતા કોઈ વ્યક્તિ હત્યા કરી લાશને સળગાવી દઈ જુદા જુદા અંગો ફેકી દેઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરેલ હોવાનું જણાય છે. મૃતદેહના કેટલાંક અવશેષો મળ્યા છે અને બાકીના અવશેષો શોધવા પોલીસ ભારે મથામણ શરૂ કરી છે. આજે આ ઘટનાના ર૪ કલાક વીતી ગયા હોવા છતાં હજુ સુધી આ મરનાર કોણ હતોઅ ને ક્યાંનો હતો તે એગેની કોઈ માહિતી પોલીસને હજુ સુધી મળી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.