Western Times News

Gujarati News

એસટીએ ટ્રેક્ટરને ટક્કર મારતા બે ખેડૂતોનાં મોત

પાલનપુર, ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બે ખેડૂતોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ મગફળીનું વેચાણ કરી બટાકાના વાવેતર માટે ખાતર ખરીદીને પરત જતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ એસટી બસે આગળ જતાં ટ્રેકટરને ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર ભૂરાભાઈ ચૌધરી અને કાનજીભાઈ ચૌધરીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર બંને તાલેપુરાથી ડીસા માર્કેટયાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવ્યા હતા. મગફળીનું વેચાણ કર્યા બાદ ખાતરની ખરીદી કરીને પરત ઘરે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન બનાસ નદીના બ્રિજ પર બસે ટ્રેક્ટરને ટક્કર મારતા એકનું રોડ પર પટકાતા અને બીજાનું ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુઈગામ પાસે હિટ એન્ડ રનની પણ ઘટના સામે આવી હતી. જ્યાં અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બે પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ ગોલગામ ખાતે રહેતા ત્રણ યુવકો બાઈક લઈને સુઈગામ હાઈવે પરથી પસાર થઈ જતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા ઘટના બની હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.