Western Times News

Gujarati News

કંગના પદ્મ અવોર્ડ દરમિયાન કરણ જોહરને શોધી રહી હતી

મુંબઈ, અભિનેત્રી કંગના રનૌતને તાજેતરમાં જ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે. તેની સાથે સાથે સમારોહમાં કરણ જાેહર અને એકતા કપૂરને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. કંગનાએ જણાવ્યું કે, પદ્મ અવોર્ડ સેરેમનીમાં તેણે કરણ જાેહરને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે ત્યાં દેખાયા નહોતા. જાે મળતા તો ચોક્કસપણે તેમની સાથે વાત કરતી.

નોંધનીય છે કે કરણ જાેહર અને કંગના રનૌત વચ્ચે જે લડાઈ અને મતભેદ છે તેનાથી કોઈ અજાણ નથી. બન્ને વચ્ચે વિવાદની શરુઆત વર્ષ ૨૦૧૭માં થઈ હતી. તે સમયે કંગનાએ કરણ જાેહરના શો પર તેને બોલિવૂડમાં નેપોટિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. આટલુ જ નહીં, કંગનાએ કરણ જાેહર માટે મૂવિ માફિયા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

ત્યારપછી કંગના અને કરણ અનેક વાર આસમને સામને થયા હતા. શક્ય છે કે કદાચ આ જ મતભેદને ધ્યાનમાં રાખીને પદ્મ અવોર્ડ્‌સના આયોજકોએ એવી વ્યવસ્થા કરી હતી કે કંગના રનૌત અને કરણ જૌહર આમને સામને ના આવે. આ બાબતે સમિટમાં કંગનાએ કહ્યું કે- અમારી સેરેમની અલગ અલગ સમયે થઈ હતી.

મને લાગે છે કે અમને અલગ અલગ રાખવા માટે જ તેમણે સમય એવો રાખ્યો હતો. મેં ત્યાં કરણ જાેહરને શોધવાનો પ્રયત્ન કર્યો પણ તે ત્યાં નહોતા. કંગનાને જ્યારે પૂછવામાં આવ્યું કે, જાે કરણ તેમને ત્યાં મળતા તો શું તે તેની સાથે વાત કરતી? આ પ્રશ્નના ઉત્તરમાં કંગનાએ કહ્યું કે, હા બિલકુલ, બે લોકો વચ્ચે મતભેદ હોઈ શકે છે, અસહમતિ અને વિવાદ હોઈ શકે છે.

પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કો-એક્ઝિસ્ટન્સમાં વિશ્વાસ ના રાખો. હું દરેક પ્રકારના કો-એક્ઝિસ્ટન્સને પ્રોત્સાહન આપુ છું. કંગનાએ આગળ જણાવ્યું કે, સન્માન મેળવનારા અમુક લોકો એવા હતા, જેમના કારણે મને નિરર્થક અનુભવ થયો.

તેઓ પોતાની હાજરીમાં એટલા સરળ અને વિશાળ હતા કે જ્યારે તે સામે આવ્યા અને તેમનો પરિચય થયો તો મને લાગ્યુ કે હું ઘણી સાધારણ છું. આવો અનુભવ મને ઘણો ઓછો થાય છે. આ પ્રકારના લોકોને પુરસ્કાર લેતા જાેઈને મને લાગ્યું કે શું હું આટલી સારી છું?SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.