Western Times News

Gujarati News

રમતગમતનું મોડલ રાજકારણ દ્વારા બગાડવામાં આવ્યું છે: ગાંગુલી

નવીદિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે ૨૦૧૨ પછી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી. ૨૦૦૮થી ભારતે પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. તે જ સમયે, પાકિસ્તાને છેલ્લે ૨૦૧૨માં વનડે અને ટી ૨૦ શ્રેણી માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. આ બંને દેશોએ છેલ્લા ૮ વર્ષથી એકબીજા સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી.

આ વખતે ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧માં પાકિસ્તાને તેના વર્લ્‌ડ કપ ઈતિહાસમાં પ્રથમ વખત ભારત સામે એકમાત્ર જીત નોંધાવી છે. ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સિરીઝ શરૂ થવાની ચર્ચાઓનું બજાર ગરમ છે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવને કારણે ૨૦૧૨થી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી.બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સિરીઝ શરૂ કરવી તે મારા અને પીસીબી ચીફ રમીઝ રાજાના હાથમાં નથી. રાજકારણના કારણે રમતગમતમાં સંબંધો બગડ્યા છે. શારજાહમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં બોલતા સૌરવ ગાંગુલીએ કહ્યું, ‘તે બોર્ડના હાથમાં નથી.

બંને ટીમો આઇસીસી ટૂર્નામેન્ટમાં એકબીજા સાથે રમે છે. દ્વિપક્ષીય ક્રિકેટને વર્ષોથી રોકી દેવામાં આવ્યું છે અને આ એવી બાબત છે જેના પર સંબંધિત સરકારોએ કામ કરવું પડશે. તે રમીઝના હાથમાં નથી અને મારા પણ નથી.

સૌરવ ગાંગુલીએ એમ પણ કહ્યું કે રમતગમતનું મોડલ રાજકારણ દ્વારા બગાડવામાં આવ્યું છે અને અત્યારે આ સ્થિતિ છે અને અમે આ મુદ્દા પર ઉતાવળમાં નથી, કારણ કે અમારે અમારા સ્થાનિક ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમને જણાવી દઈએ કે ૨૦૦૮થી ભારતે પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. તે જ સમયે, પાકિસ્તાને છેલ્લે ૨૦૧૨માં વનડે અને ટી ૨૦ શ્રેણી માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. આ બંને દેશોએ છેલ્લા ૮ વર્ષથી એકબીજા સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.