પતિએ પત્નીની ત્રીજા માળેથી ધક્કો મારી કરી હત્યા, ૧૦ મહિના પહેલા જ લવ મેરેજ થયા હતાં
અજમેર, રાજસ્થાનના અજમેર શહેરમાં એક ક્રુર ઘટના સામે આવી છે. એક પરિણીતાને ત્રીજા માળેથી ધક્કો મારવાની ઘટના બની છે. તેણે ૧૦ મહિના પહેલા જ લવ મેરેજ કર્યા હતા. મૃતકની માતાએ ક્રિશ્ચિયનગંજ પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઇ ઉપર જ હત્યાનો આરોપ લગાવતા કેસ કર્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ઘટના પછી મૃતકનો પરિવાર આઘાતમાં છે.
મૃતકની માતા મીનુ શેખાવત તરફથી પોલીસમાં આપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે તેની પુત્રી સીમા ચૌહાણે જાેધપુર નિવાસી અવિનાશ ચૌહાણ સાથે લવ મેરેજ કર્યા હતા. વિવાહ પછી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ૬ મહિના પહેલા જ તેણે પોતાના જમાઇને અરાવલી એપાર્ટમેન્ટ્સમાં એક ફ્લેટ અપાવ્યો હતો અને ત્યારથી બંને અજમેરમાં જ રહેવા લાગ્યા હતા. અવિનાશ બેરોજગાર હતો અને આ જ કારણે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
ક્રિશ્ચિયનગંજ થાના અધિકારી અરવિંદ ચારણે જણાવ્યું કે પોલીસને આપેલા રિપોર્ટ પ્રમાણે રવિવારે રાત્રે અવિનાશે સીમાને ત્રીજા માળેથી ધક્કો માર્યો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે પરિવારના રિપોર્ટ પર મૃતકના પતિ અવિનાશ ચૌહાણ સામે હત્યાનો મામલો નોંધ્યો છે. આ પછી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મૃતકા સીમા ચૌહાણની લાશને જેએલએન હોસ્પિટલમાં મેડિકલ બોર્ડથી પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારજનોને આપી દેવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે અવિનાશ અને સીમાના લગ્ન આ જ વર્ષે જાન્યુઆરીમાં થયા હતા. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. સીમા ચૌહાણના મોત પછી તેના પરિવારમાં માતમ છવાયો છે. પરિવારે સપનામાં પણ વિચાર કર્યો નહીં હોય કે તેમને આવો દિવસ પણ જાેવા પડશે.HS