Western Times News

Gujarati News

વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયના ૩૬માં જન્મદિને સંતો માટે શું કહ્યુ મુખ્યમંત્રીએ

ઈશ્વર પ્રત્યે નિષ્ઠા અને સેવાનો ભાવ વ્યક્તિને જવાબદારીઓ પ્રત્યે નિષ્ઠા અને સમાજ સેવાની પ્રેરણા આપે છે-સંતોનું પરિભ્રમણ સમાજ માટે કલ્યાણકારી – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયના ૩૬માં જન્મદિને આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે,  ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા અને ઈશ્વરની સેવા કરવાનો ભાવ  વ્યક્તિમાં જવાબદારીઓ પ્રત્યેની નિષ્ઠા અને સમાજ સેવા કરવાનો ભાવ જન્માવે છે.

વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ૩૬માં જન્મદિને આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંતોનું પરિભ્રમણ સમાજ માટે કલ્યાણકારી હોય છે. વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના કથા કીર્તન અને પરિભ્રમણનો લાભ આજે લાખો અનુયાયીઓ મેળવી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, “આજના આ પાવન પ્રસંગે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓના દર્શન કરવા આવ્યો છું. સાથે જ ગુજરાતની સાડા છ કરોડ જનતાની અવિરત સેવા કરવાની મને મળેલી જવાબદારી નિભાવવા માટે શક્તિ બળ મળે તેવા આશીર્વાદ લેવા આવ્યો છું.”

આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીએ પોતાના વક્તવ્ય દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સાલસ અને સરળ વ્યક્તિત્વની સરાહના કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ તકે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં પણ સહભાગી થયા હતા.

આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના હોદ્દેદારો, ટ્રસ્ટીશ્રીઓ અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.