Western Times News

Gujarati News

પંજાબનાં મુક્તસરનાં વડિંગ ખેરા ગામમાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયનાં ૧૪ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

નવીદિલ્હી, દેશમાં ભલે કોરોનાનાં દૈનિક કેસ ઓછા નોંધાઇ રહ્યા છે પરંતુ સાવચેતી તેટલી જ રાખવાની જરૂર છે. બેદરકારી શું સ્વરૂપ લઇ શકે છે તે આપણે સૌ કોરોનાની બીજી લહેરમાં જાેઇ ચુક્યા છીએ. તાજેતરમાં પંજાબની એક શાળામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યા તે શાળામાં કોરોના વિસ્ફોટ થયો છે.

દેશમાં કોરોનાનાં કેસ ઓછા થયા બાદ જીવન એકવાર ફરી શરૂ થઇ ગયુ છે. દેશનાં ઘણા રાજ્યોમાં શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે જે બાળકો અત્યાર સુધી ઓનલાઇન ક્લાસ ભરતા હતા તેઓ હવે શાળાઓમાં જવા લાગ્યા છે. જાે કે શાળાઓ ફરી ખુલવાની સાથે જ વિદ્યાર્થીઓમાં કોરોના પોઝિટિવનાં કેસ સામે આવવા લાગ્યા છે.

શાળાનાં બાળકો પહેલા તેલંગાણામાં અને હવે પંજાબનાં માનસામાં કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. મુક્તસરનાં વડિંગ ખેરા ગામમાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયનાં ૧૪ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. ચેપગ્રસ્ત બાળકો ધોરણ ૮ અને ૯નાં વિદ્યાર્થીઓ છે.

કોરોનાનાં કેસ સામે આવ્યા બાદ શાળાને ૧૪ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ, કોઈપણ બાળકને ઘરે મોકલવામાં આવશે નહીં. બાળકોને શાળામાં સારવાર આપવામાં આવશે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, દર્દીઓ મળ્યા પછી, ચેપનાં ફેલાવાને રોકવા માટે શાળા અને નજીકનાં વિસ્તારને કોવિડ કન્ટેનમેન્ટ ઝોનમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે.

મુક્તસરનાં સિવિલ સર્જન રંજુ સિંગલાએ જણાવ્યું કે, ગયા અઠવાડિયે એક વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત જાેવા મળ્યો હતો. આ પછી, અન્ય વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં વધુ ૧૩ વિદ્યાર્થીઓ સંક્રમિત જાેવા મળ્યા છે. આ સિવાય વધુ ૧૦ લોકો કોરોના પોઝિટિવ છે.

અત્યાર સુધીમાં કુલ ૧૪ સંક્રમિત વિદ્યાર્થીઓમાંથી ૧૨ છોકરીઓ છે. આ તમામને શાળાની છાત્રાલયમાં જ અલગ રાખવામાં આવેલ છે અને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. આરોગ્ય ટીમ દ્વારા કુલ ૪૦૦ લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી આ લોકો સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. દેશભરમાં શાળાઓ અને કોલેજાે ખુલ્યા બાદ કેટલીક જગ્યાએ કોરોના વિસ્ફોટની સ્થિતિ જાેવા મળી રહી છે.

મંગળવારે જ જયપુરની એક શાળામાં પણ ૧૧ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જાેવા મળ્યા હતા. ભટિંડાની વચ્ચે ચીફ મેડિકલ ઓફિસર ડૉ. ટીએસ ઢિલ્લોને જણાવ્યું કે રામપુરા ફૂલ મોહલ્લાનાં ૫ લોકો કોરોનાથી સંક્રમિત જાેવા મળ્યા છે. આ લોકો ક્યાંક મુસાફરી કરીને પરત ફર્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.