Western Times News

Gujarati News

મમતા બેનર્જી ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીને મળ્યા

નવીદિલ્હી, તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીની દિલ્હી મુલાકાતના બીજા દિવસે ભાજપના સાંસદ અને અસંતુષ્ટ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જીને દિલ્હીમાં સાઉથ એવેન્યુ પરના તેમના છૂપા ઠેકાણા પર મળ્યા હતા. સુબ્રમણ્યમ સ્વામી બપોરે ૩.૩૦ વાગ્યે મમતા બેનર્જી પાસે પહોંચ્યા હતા.

તેઓ ૨૦ થી ૨૫ મિનિટ સુધી મમતા બેનર્જી સાથે રહ્યા હતા. મમતા બેનર્જીને મળ્યા બાદ સ્વામીએ ટીએમસીમાં જાેડાવાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે હું પહેલેથી જ જાેડાઈ ગયો છું. હું દરેક સમયે તેની સાથે છું. તેણે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.

જણાવી દઈએ કે દિલ્હી પ્રવાસના પહેલા દિવસે કોંગ્રેસના પૂર્વ નેતા અશોક તંવર અને કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદ મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં સામેલ થયા હતા. વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનર્જીની પાર્ટીને દેશભરમાં વિસ્તારવાના ઉદ્દેશ્ય સાથે ટીએમસીનું બ્રેક પાર્ટી અભિયાન ચાલી રહ્યું છે.આજે મમતા બેનર્જી સાથે સ્વામીની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સુબ્રમણ્યમ સ્વામીના મમતા બેનર્જી સાથે લાંબા સમયથી સંબંધ છે અને મમતા બેનર્જીની રોમ મુલાકાત રદ્દ થયા બાદ ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારના ર્નિણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે મમતા બેનર્જીને રોમ જતા કેમ રોકવામાં આવી? કેન્દ્ર સરકારના આ ર્નિણય બાદ મમતા બેનર્જીએ પ્રહારો કર્યા હતા. જણાવી દઈએ કે સુબ્રમણ્યમ સ્વામી સતત ભાજપ સરકાર પર નિશાન સાધતા રહે છે. ઘણી વખત તેઓ પીએમ મોદીને આર્થિક મુદ્દાઓ પર ઘેરી ચૂક્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.