Western Times News

Gujarati News

સરકારી કામોમાં ભાવ વધારો આપવા કોન્ટ્રાક્ટર્સની માગણી

અમદાવાદ, ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશના ઉપક્રમે તાજેતરમાં મળેલી મીટીંગમાં કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન જેવા કે, સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો, ટ્રાસ્ટપોર્ટેશન તેમજ કારીગરો અને મજૂરીના ભાવમાં આશરે ૩૦% થી ૪૦% જેટલો વધારો થયેલ છે, જે અંગે વિસ્તૃત ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

આ મીટીંગમાં સમગ્ર ગુજરાતના ૨૦૦ થી વધારે સભ્યો હાજર રહ્યા હતા. સર્વે સભ્યોની લાંબી ચર્ચાવિચારણા અંતે સરકારી કામો મંજૂર થયેલા ટેન્ડરના ભાવથી પૂરા કરવા અશક્ય હોઇ સદરહુ મીટીંગમાં સર્વાનુમતે ઠરાવ કરાયો અને કોન્ટ્રાકટરોને પડી રહેલી હાલાકીઓ અંગે રાજય સરકારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેન અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા વગેરે જગ્યાએ વિવિધ પ્રોજેક્ટની કામગીરી કરતાં સરકારી કોન્ટ્રાક્ટરો બાંઘકામ ક્ષેત્રે વપરાતા ટિરિયલ વગેરેમાં કૂદકે-ભુસકે વધતા ભાવ વધારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે.

રાજયમાં આ ભાવે કામ કરવું પોસાય તેમ નથી અને બાંધકામ ક્ષેત્રે વપરાતાં સ્ટીલ, સિમેન્ટ, રેતી, ડામર, કપચી, ઇંટો સહિતના મટિરિયલ તેમજ ટ્રાસ્ટપોર્ટેશન સહિતનાં સાધનોનાં ભાડામાં તેમજ કારીગરો અને મજૂરીનાં ભાવમાં અસહ્ય વધારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં નાના-મોટા કોન્ટ્રાક્ટરો વર્તમાન સમયમાં બાંઘકામ ક્ષેત્રે વપરાતા માલ-સામાન વગેરેમાં જે પ્રકારે ભાવવધારો થયો છે તેના પગલે કોન્ટ્રાકટરોને જુના ભાવે કામ કરવું પોસાય તેમ નથી અને જંગી નુકશાન વેઠવુ પડે છે.

આ બેઠકમાં મટિરિયલ્સના ભાવ વધારા સામે રાજ્ય સરકાર અને મહાનગરપાલીકાઓ દ્ધારા આર. બી. આઇ. ઇન્ડેક્સ મુજબ ભાવ વધારો ચુકવવામાં આવે છે. તે માર્કેટેબલ ભાવ કરતા ઘણોજ ઓછો હોય છે અને તે પણ પોસાય તેમ ન હોવાથી કેટલાય કોન્ટ્રાકટરો સરકારી કામો કરવા તૈયાર નથી.

જેથી એવી માંગણી કરવામાં આવી છે કે, રાજ્ય સરકાર તથા મહાનગર પાલીકાના સત્તાધીશો તેમના ચાલુ પ્રોજેક્ટના કોન્ટ્રાકટરોને આર.બી.આઇ. ઇન્ડેક્સ પ્રમાણે નહિ પરંતુ બજાર ભાવ મુજબ ભાવ વધારો ચુકવે અન્યથા કોન્ટ્રાકટર સામે કોઇ પગલા લીધા વગર કામમાંથી મુક્ત કરે. મીટીંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતુ કે, ગુજરાત રાજ્યના તમામ સરકારી કામોમાં વપરાતા માલ-સામાનનો છેલ્લા ઘણા સમયથી થયેલ ભાવ વધારો કોન્ટ્રાકટરોને સરકાર તરફથી મળવો જાેઇએ, અથવા કોન્ટ્રાકટરોના થયેલ કામના જે તે સ્ટેજે ફાઇનલ બિલ કરી કામમાંથી મુક્ત કરવા તેવી રજુઆત કરવી.

તેમજ આ રજૂઆત સરકાર દ્વારા ૧૫ દિવસમાં સ્વીકારવામાં ન આવે તો ગુજરાત રાજ્યના જાહેર બાંધકામને લગતા તમામ પ્રકારના નવા કામોના ટેન્ડરો ભરવાના બંધ કરવા અને ટેન્ડર ભરવાની ડીઝીટલ કી જિલ્લા પ્રમુખોને સોંપી દેવી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.