Western Times News

Gujarati News

પાક માટે લઘુત્તમ ટેકાના મૂલ્યની ગેરેન્ટી આપતો કાયદો બનાવવો સંભવ નથી: ખટ્ટર

નવીદિલ્હી, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યુ કે પાક માટે લઘુત્તમ ટેકાના મૂલ્ય(એમએસપી)ની ગેરેન્ટી આપતો કાયદો બનાવવો સંભવ નથી કારણકે આનાથી સરકાર પર દબાણ થશે.

મનોહરલાલ ખટ્ટરે આ નિવેદન શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યા બાદ આપ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદી સાથે થયેલી મુલાકાત બાદ સીએમ મનોહરલાલ ખટ્ટરે કહ્યુ કે એમએસપી પર કાયદો બનાવવાની સંભાવના નથી. રિપોર્ટ મુજબ પીએમ મોદી અને મનોહરલાલ ખટ્ટર બંને નેતાઓએ ત્રણ કૃષિ કાયદાઓ પર ચર્ચા કરી, જેણે કૃષિ સરકારને સંસદના આગામી સત્રમાં પાછો લેવાની જાહેરાત કરી હતી.

સીએમ ખટ્ટરે કહ્યુ કે કૃષિ કાયદાને પાછા લેવાના ર્નિણયે એક સારો સંદેશ આપ્યો છે પરંતુ સરકાર માટે બધા પાકો પર એમએસપીની ગેરેન્ટી આપતો કાયદો લાવવો સંભવ નથી. હરિયાણાના સીએમે કહ્યુ કે જાે સરકાર એમએસપી પર કાયદો લાવે તો એ બધા પાકોને ખરીદવાનુ દબાણ થશે જે સંભવ નથી.

સીએમ ખટ્ટરે કહ્યુ કે પીએમ મોદી ચિંતિત હતા કે ખેડૂતોને પાછા જવાની જરુર છે. સીએમે કહ્યુ કે તેમને આશા છે કે સંસદમાં ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાતા જ ખેડૂતો પાછા જતા રહે. સીએમ ખટ્ટરે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક દરમિયાન પ્રદૂષણ, સૂકુ ઘાસ બાળવા, સાફ-સફાઈ અને હરિયાણાના સારા સેક્સ રેશિયો પર પણ ચર્ચા થઈ.

ત્રણ કૃષિ કાયદાના વિરોધનુ નેતૃત્વ કરી રહેલ ખેડૂત સંઘોએ વિવાદાસ્પદ કાયદાને પાછા લેવાના કેન્દ્રના ર્નિણયને મંજૂરી આપી દીધી છે. જાે કે તેમણે કહ્યુ કે પાકો માટે એમએસપી સાથે સંબંધિત ઘણા માંગો પેન્ડીંગ છે.

કેન્દ્રીય મંત્રીમંડળે ૨૪ નવેમ્બરે ત્રણ વિવાદાસ્પદ કેન્દ્રીય કૃષિ કાયદાને પાછા લેવાની મંજૂરી આપી દીધી. કૃષિ કાયદા વાપસી બિલ(૨૦૨૧) ૨૯ નવેમ્બરથી શરૂ થઈ રહેલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે પરંતુ હવે ખેડૂતોએ લઘુત્તમ ટેકાના મૂલ્ય(એમએસપી) વિશે ઘણી માંગો મૂકી દીધી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.