Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોનાના નવા ૬૧ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના નવા ૬૧ નવા કેસ નોંધાતા ચકચાર મચી છે. તો બીજી તરફ ૩૯ દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૩૩૯ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૪ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી આગળ વધી રહી છે.

આજે કુલ રસીના ૩,૮૨,૭૪૦ ડોઝ આપવામાં આવ્યા હતા. હાલ રાજ્યમાં કુલ ૩૭૨ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૯ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૩૬૩ નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ ૮,૧૭,૩૩૯ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે.

અત્યાર સુધીમાં કુલ ૧૦૦૯૫ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.

અમદાવાદ કોર્પોરેશનમાં ૨૫, સુરત કોર્પોરેશન ૭, ભાવનગર કોર્પોરેશન ૬, વડોદરા કોર્પોરેશન ૫, વલસાડ ૪, જામનગર કોર્પોરેશન ૩, ખેડા-નવસારીમાં ૨-૨ કેસ નોંધાયા, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ અને વડોદરામાં ૧-૧ કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ ૬૧ કેસ નોંધાયા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૧ ને રસીનો પ્રથમ, ૧૦૯૨ વર્કરને રસીનો બીજાે ડોઝ, ૪૫ વર્ષથી વધારે ઉંમરના ૧૨૩૩૫ નાગરિકોને રસીનો પ્રથમ, ૮૭૭૬૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૪૦૩૪૫ નાગરિકોને રસીનો પ્રથમ, ૨૪૧૧૮૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૩,૮૨,૭૪૦ રસીના ડોઝ જ્યારે કુલ ૮,૩૫,૨૬,૪૫૮ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.