Western Times News

Gujarati News

ઓમિક્રોનના ભયને પગલે સરકારે 31 જાન્યુઆરી સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ

प्रतिकात्मक

નવી દિલ્હી, 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. જોકે, ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને પરત લેવાયો છે. હજુ આ પ્રતિબંધ 31 જાન્યુઆરી 2022 સુધી લાગૂ રહેશે.

કેન્દ્રીય આરોગ્ય સચિવે આજે ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ દરમિયાન રસીકરણની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે રાજ્યોને કોરોનાની સારવાર માટે નિર્ધારિત આઠ મહત્વપૂર્ણ દવાઓ માટે પૂરતો બફર સ્ટોક બનાવવી રાખવામાં આવે તેઓ આગ્રહ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.