Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને કોરોના દર્દીઓની સારવાર માટે રૂા.૧૦૯પ કરોડનો ખર્ચ કર્યો: અઢી લાખ દર્દીઓને નવજીવન મળ્યું

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ- ર૦ર૦માં કન્ફર્મ થયો હતો તેના લગભગ રર મહિના બાદ કોરોના એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે જયારે છેલ્લા રર મહિનામાં કેસની સંખ્યા ર લાખ ૭૦ હજારને પાર કરી ગઈ છે આ સમયગાળા દરમ્યાન કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે રાજય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ સતત પ્રયાસ કરતા રહયા છે.

શહેરમાં મે-જુન ર૦ર૦માં કોરોનાની પ્રથમ લહેર આવી હતી જેમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ર૦ર૦ દિવાળી તહેવારો દરમિયાન નાનકડી લહેર આવી હતી. જાેકે તંત્ર દ્વારા ર૦ર૧માં આવેલી ખતરનાક લહેરને જ બીજી લહેર ગણવામાં આવી રહી છે. મનપા દ્વારા કોરોનાનો પ્રથમ કેસ કન્ફર્મ થયો તે સમયથી ૩૧ ડીસેમ્બર -ર૦ર૧ સુધી નાગરીકોની સારવાર માટે કુલ રૂા.૧૦૯પ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

બીજી લહેરમાં ૩૦ એપ્રિલ સુધી કોરોના દર્દીઓની સારવાર માટે તંત્ર દ્વારા રૂા.રરપ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જયારે છેલ્લા આઠ મહિનામાં કોરોના માટે વધુ ૪પ૦ કરોડનો ખર્ચો થયો છે કોરોના ત્રીજી લહેરની શરૂઆત ૧પ દિવસ અગાઉ જ થઈ છે પરંતુ જુના પેન્ડીગ બીલોની ચુકવણી થઈ હોવાના કારણે ખર્ચની રકમ વધી છે.

શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને વિનામુલ્યે સારવાર મળી રહે તે માટે મ્યુનિ. કોર્પોરેશને ર૦ર૦માં ખાનગી હોસ્પીટલો સાથે કરાર કર્યા હતા જેમાં જનરલ વોર્ડ, એચ.ડી.યુ તેમજ આઈ.સી.યુ બેડ માટેના દર નકકી કરવામાં આવ્યા હતા. કોરોના દર્દીની સારવાર માટે દાખલ થયા બાદ તમામ ખર્ચ મનપા દ્વારા ચુકવવામાં આવ્યો હતો. ડીસેમ્બર-ર૦ર૧ સુધી તંત્ર દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે રૂા.૧૦૯પ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

જેમાં એસવીપી હોસ્પીટલ માટે રૂા.૩પ૦ કરોડ અને દવા- ઈન્જેકશનો માટે રૂા.ર૭પ કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા જયારે ખાનગી હોસ્પીટલો, ધન્વંતરિ રથ, ટ્રાન્સપોર્ટેશન મેડીકલ સ્ટાફ અને દર્દીઓના ભોજન વગેરે માટે રૂા.૪૭૦ કરોડ ચુકવવામાં આવ્યા છે. આ સમયગાળા દરમ્યાન મોટાપાયે એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે ડીસેમ્બર-ર૦ર૦ના અંતમાં કોરોનાનો કુલ ખર્ચ રૂા.૩૧૩ કરોડથી વધી રૂા.૪૪પ કરોડ થયો હતો જેમાં એસવીપી હોસ્પીટલનો ખર્ચ રૂા.૧૩૦ કરોડ હતો જયારે ખાનગી હોસ્પીટલોને રૂા.૪૮ કરોડ ચુકવવામાં આવ્યા હતા.

કોરોનાની બીજી લહેર દરમ્યાન જાન્યુઆરીથી એપ્રિલ ર૦ર૧ સુધી કોરોના દર્દીઓના ટેસ્ટીંગ અને સારવાર માટે રૂા.ર૦૦ કરોડનો ખર્ચ થયો છે તેમજ કુલ ખર્ચ રૂા.૪૪પ કરોડથી વધી રૂા.૬૪પ કરોડ થયો છે જેમાં એસ.વી.પી હોસ્પીટલના ખર્ચ રૂા.રર૧ કરોડ, ખાનગી હોસ્પીટલના બીલની રકમ રૂા.૯૦ કરોડનો સમાવેશ થાય છે. જયારે દવા, ટેસ્ટીંગ કીટ વગેરે માટે બીજી લહેર દરમ્યાન માત્ર રૂા.૧ર કરોડનો ખર્ચ થયો છે.

બીજી લહેરમાં સરકાર તરફથી એન્ટીજન કીટ અને અન્ય દવાઓ આપવામાં આવ્યા છે. શહેરમાં કોરોનાના પ્રથમ કેસ નોંધાયા બાદ અંદાજે ૪૧૦ દિવસમાં (૩૦ એપ્રિલ-ર૦ર૧) ૧ લાખ ૬૧ હજાર કેસ નોંધાયા છે. જયારે ર૩ મે સુધી કેસની સંખ્યા ર લાખ ર૬ હજાર થઈ છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન હોમ આઈસોલેશન દર્દીઓને ઘરે બેઠા સારવાર મળી રહે તે માટે સંજીવન રથ, ૧૦૪ ઈમરજન્સી સેવાઓ, વગેરે શરૂ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા પ્રથમ બે લહેર દરમિયાન દૈનિક અંદાજે ૪૦૦ થી પ૦૦ જેટલા વાહનો ભાડે લેવામાં આવ્યા હતાં જેનો અંદાજિત ખર્ચ રૂા.પ કરોડ થાય છે.

મ્યુનિ. કોર્પો. દ્વારા અત્યાર સુધી કુલ ૧૦૯પ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જે પેશન્ટ દીઠ ગણવામાં આવે તો રૂા.૪૦ હજાર થાય છે જેના કારણે બે લાખ પ૦ હજાર નાગરીકોને નવી જીંદગી મળી છે. જયારે બીજી લહેર દરમિયાન કરવામાં આવેલ ખર્ચ અને કેસને ધ્યાનમાં લેવામાં આવે તો મનપાએ પેશન્ટ દીઠ રૂા.૩૯૭૭૦ ખર્ચ કર્યા છે.

શહેરમાં કોરોનાનો કહેર: એક જ દિવસમાં પ૯૯૮ કેસ નોંધાયા
શહેરમાં કોરોનાની પ્રથમ લહેર સામાન્ય રહી હતી જયારે ડેલ્ટા વેરિઅન્ટની બીજી લહેર અત્યંત ખતરનાક સાબિત થઈ હતી જયારે પ્રમાણમાં નબળા ગણવામાં આવતા ઓમિક્રોન વેરિઅન્ટ કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે જાેકે કોરોના દર્દીઓના લક્ષણો ગંભીર ન હોવાથી તંત્ર અને નાગરિકો રાહતનો શ્વાસ લઈ રહયા છે.

મ્યુનિ. આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ મંગળવારે કોરોનાના એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક પ૯૯૮ કેસ નોંધાયા છે જે અત્યાર સુધી સૌથી વધારે છે. મ્યુનિ. કોર્પો દ્વારા મંગળવારે ૭પ૦૦ આરટીપીસીઆર અને પપ૦૦ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતાં શહેરમાં ઉભા કરવામાં આવેલ ૬૦ ડોમમાં કોરોના ટેસ્ટીગ થઈ રહયા છે. આરટીપીસીઆર ટેસ્ટ પૈકી ૩૦ ટકા અને એન્ટીજનના ૧૦ ટકા કેસ પોઝીટીવ આવી રહયા છે. મંગળવારની છેલ્લી સ્થિતિ મુજબ શહેરમાં ર૩ હજાર એક્ટિવ કેસ છે. મંગળવારે નવા ૩પ૦ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે પૈકી ૬પ દર્દીઓ આઈસીયુમાં છે. શહેરમાં અત્યાર સુધી કોરોનાના કુલ ર૭ર૮૭૯ કેસ નોંધાયા છે જે પૈકી ૩૩૬૪ના મરણ થયા છે જયારે ર૪૮૩૩૩ દર્દી સાજા થયા છે.

પ્રથમ લહેર પુર્ણ થઈ તે સમયે પેશન્ટ દીઠ ખર્ચ ૮૩ હજાર હતોે. વર્તમાન લહેરમાં ખાનગી હોસ્પીટલોમાં વિનામુલ્યે સારવાર બંધ કરવામાં આવી હોવાથી તેમજ સરકાર દ્વારા દવાઓ આપવામાં આવી હોવાથી ખર્ચ ઘટયો હોવાનો અંદાજ છે.

સરકાર પાસેથી રૂા.૪રપ કરોડના બાકી લેણાં
અમદાવાદ શહેરના નાગરિકોને કોરોનાથી રક્ષણ આપવા માટે મનપા દ્વારા રૂા.૧૦૯પ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ તેની સામે સરકાર તરફથી હજી માત્ર રૂા.૬૭૦ કરોડનું જ ફંડ પરત મળ્યુ છે જયારે રૂા.૪રપ કરોડની માતબર રકમ સરકાર પાસેથી લેવાની બાકી છે રાજય સરકારે લગભગ એક મહિના અગાઉ રૂા.૧૦૦ કરોડ પરત આપવા જાહેરાત કરી હતી જે હજી સુધી તંત્રને મળ્યા નથી છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસ ભોગવી રહેલ મ્યુનિ. વહીવટી તંત્રએ કોરોના ખર્ચ પેટેની બાકી રકમ રૂા.૪રપ કરોડ માટે રાજય સરકારને ત્રીજી વખત પત્ર લખ્યો હોવાની વિગતો બહાર આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.