કાર પલટી જતાં મહિલા અને બે પુરુષોના ઘટના સ્થળે મોત
મોરબી, ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ છાસવારે બનતી રહી છે. મોરબીમાં એક ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
મોરબીમાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીના રાજપર રોડ પર આવેલા થોરાળા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એસન્ટ કાર આચનક થાંભલા સાથે અથડાઈ જતા કાર પલટી ખાઈ ગઈ હતી.
કારમાં સવાર બે પુરુષ અને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા બનાવની જાણ મોરબી તાલુકા ઈન્ચાર્જ પીઆઇ વિરલ પટેલને થતાં જ પોલીસની ટીમને ઘટના સ્થળે મોકલી અકસ્માતનું કારણ જાણવા કવયત હાથ ધરી છે. જેમાં આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકના નામ મૃતકોના નામ રાજેશ ભાઈ મહેતા ઓરેન્જ પોલીપેક ચાચાપના કોન્ટ્રાક્ટર અને મનોજભાઈ અન્ય એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે હાલ ત્રણેય ના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડી પરિવાર જનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.SSS