દુકાન-ઓફીસનાં બોર્ડ પર GST નંબર નહીં હોય તો રપ હજાર દંડ
અમદાવાદ, જીએસટીમાં કેટલાક મહત્વના ફેરફાર કરાયા છે. જેમાં કરદાતાઓ દ્વારા ફરજીયાત પણે પોતાના બોર્ડ અને કેમ્પસમાં દેખાય તે રીતે જીએસટી નંબર લખવાના નિયમમાં કડકાઈ કરી છે.
નવા નિયમ પ્રમાણે જીએસટી નંબર ન લખવા તેમજ કમ્પોઝીશન કરદાતાઓએ માટે દંડની જાેગવાઈ કરાઈ છે. હવે જીએસટી કરદાતાઓએ પોતાને ત્યાં ફરજીયાત પણે જીએસટી નંબર લખવો પડશે નહીતર રપ હજારનો દંડ થશે.
હવે જીએસટી નંબર ધારકોએ પોતે જીએસટી રજીસ્ટ્રેશન થઈ ગયું હોય તો તેમણે તેમની ઓફીસ, દુકાન બહાર સાઈન બોર્ડ ઉપર જીએસટી નંબર દર્શાવવો પડશે.
કરદાતાઓએ પ્રિમાઈસીસમાં તેમજ સાઈન બોર્ડ ઉપર જીએસટી નંબર લખેલો નહીં હોય તો કરદાતાઓ સામે નિયમ મુજબ દરેક જીએસટીમાં નોંધાયેલા કરદાતાઓ તેમની ઓફીસ બહાર બિઝનેસ સાઈન બોર્ડ ઉપર તેમનો જીએસટી નોંધણી નંબર દર્શાવવાની જરૂર હોય છે.
જે કરદાતાઓએ કમ્પોઝીશનનો લાભ લીધો હોય તેમણે કમ્પોઝીશન સ્કીમનો લાભ લેનાર કરદાતા તરીકે ઉલ્લેખ કરવો જરૂરી છે. તેમજ એ પણ લખવું પડશે કે તે ટેક્ષ વસુલવા માટે હકદાર નથી. દંડની જાેગવાઈ લાગુ પડશે. અત્યાર સુધી કરદાતાઓ સાઈન બોર્ડ નંબર લખે નહી તો દંડની કે સજાની જાેગવાઈ ન હતી. પરંતુ હવે નંબર ગ્રાહકોને દેખાય તે રીતે નહીં લખેલો હોય તો રૂા.રપ હજારનો દંડ થશે.