Western Times News

Gujarati News

પક્ષમાં વંશવાદને પ્રોત્સાહન નહીં અપાયઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, પાંચમાંથી ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ આજે ભાજપની સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યુ હતુ કે, વિધાનસભા ચૂંટણીઓમાં જાે કોઈ નેતાની ટિકિટ કપાઈ છે તો તે મારી જવાબદારી છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના સાંસદ રીટા બહુગુણા જાેશીએ પોતાના પુત્ર માટે લખનૌથી ટિકિટ માંગી હતી પણ પાર્ટીએ ટિકિટ આપી નહોતી.આ સિવાય ઉત્તરાખંડના પૂર્વ ભાજપના નેતા હરક સિંહ રાવતે પણ પોતાની પુત્રવધુ માટે ટિકિટ માંગી હતી અને ભાજપે ટિકિટ નહીં આપતા તેઓ કોંગ્રેસમાં જાેડાઈ ગયા હતા.

પીએમ મોદીએ તો આ બેઠકમાં એમ પણ કહ્યુ હતુ કે, પાર્ટીમાં વશંવાદને પ્રોત્સાહન નહીં અપાય, ભાજપમાં પરિવારવાદની રાજનીતિ નહીં ચાલે.સાંસદોના સંતાનોને મારા કહેવા પર ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નહોતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.