Western Times News

Gujarati News

માર્ચ મહિનાનાં અંત સુધી નરેશ પટેલ રાજકારણમાં જાેડાવવાનો નિર્ણય લેશે

રાજકોટ, છેલ્લા કેટલાક દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રાજકારણમાં જાેડાવા અંગે આમંત્રણ આપવા પર પાટીદાર નેતા નરેશ પટેલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

આજે મીડિયા સાથે વાત કરતા નરેશ પટેલે કહ્યું હતું કે, જે પણ રાજકીય પક્ષોએ તેમને આમંત્રણ આપ્યું છે તેનો તેઓ આભાર માને છે, પરંતુ હાલ તેમની રાજકારણમાં જાેડાવાની કોઈ ગણતરી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જાે સમાજના લોકો તેમને આ અંગે કહેશે તો તેઓ ચોક્કસ રાજકારણમાં જાેડાશે. જાેકે, પોતે કઈ પાર્ટીમાં ક્યારે જાેડાશે તે અંગે યોગ્ય સમયે જાણ કરશે.

નરેશ પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસ અને આપ પહેલા ભાજપે પણ તેમને પક્ષમાં જાેડાવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે દિલ્હી પ્રવાસ અંગે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ તેમનો વ્યવસાયિક પ્રવાસ હતો અને તેનું આયોજન છેલ્લી ઘડીએ થયું હતું. દિલ્હી પ્રવાસ દરમિયાન તેમણે કોઈ રાજકીય મુલાકાત ના કરી હોવાનો પણ દાવો કર્યો હતો.

પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચાશે પછી જ રાજકારણમાં જાેડાશો કે કેમ તેવા સવાલના જવાબમાં પટેલે જણાવ્યું હતું કે, આવી કોઈ વાત નથી પરંતુ તેમણે દરેક સમાજના લોકો સામે થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત કરી છે, અને તેના પર સરકાર એક્શન પણ લઈ રહી છે.

માર્ચના અંત સુધીમાં પોતે રાજકારણમાં જવું કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરશે તેવું કહેતા નરેશ પટેલે કહ્યું હતું કે દરેક સમાજનું કલ્યાણ થાય અને પોતાનો ક્યાંક ઉપયોગ થાય તો પોતાને ચોક્કસ રાજકારણમાં જવું જાેઈએ. રાજકારણમાં જવું કે નહીં તે અંગે હાલ વિચાર ચાલી રહ્યો છે, અનેસમાજે સ્પષ્ટ પણે આ અંગે કોઈ વાત નથી કરી.

જાે સમાજના લોકો એમ કહે કે રાજકારણમાં જવાની જરુર નથી તો પોતે અટકી જશે તેમ પણ તેમણે કહ્યું હતું. નરેશ પટેલે એમ પણ કહ્યું હતું કે, પોતે રાજકારણમાં જઈ મંત્રી બનવા નથી માગતા, પરંતુ લોકોના કામ થાય તે તેમના માટે મહત્વનું રહેશે.

હાલની સરકારમાં કામો થાય છે કે કેમ તે અંગે નરેશ પટેલે કહ્યું હતું કે, કામો લોકો સુધી પહોંચે છે પરંતુ તેમાં પણ વધુ વેગ આવે તેના માટે જાે પોતાને રાજકારણમાં આવવાની જરુર પડે તો ચોક્કસ આ અંગે ર્નિણય લેશે. હવે જાેવાનું એ રહે છે કે, પોતે રાજકારણમાં જાેડાશે કે કેમ તે અંગે સ્પષ્ટ પણે હા કે ના પાડવાને બદલે સમાજ કહેશે તેમ કરીશ તેવા નરેશ પટેલ જાે રાજકારણમાં જાેડાય તો પણ સત્તા પક્ષ સાથે રહેશે કે પછી કોંગ્રેસ કે આપમાં જાેડાશે તે જાેવાનું રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.