Western Times News

Gujarati News

ડાકોર જતાં શ્રદ્ધાળુઓ માટે ચિરિપાલ ગ્રૂપનું 28 વર્ષથી નિરંતર સેવા કાર્ય

પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે હોળીની ઉજવણી કરવા તથા ફાગણી પૂનમના મેળામાં ભાગ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ડાકોર જઇ રહ્યાં છે. આ યાત્રાળુઓના ભોજન, રાત્રી નિવાસ અને આરોગ્યની કાળજી લેવા માટે નારોલથી લગભગ 40 કિમીના અંતરે સિહુંજ ગામ ખાતે

ચિરિપાલ દેવકીનંદન વિશ્રામ ગૃહ ખાતે છેલ્લાં 28 વર્ષથી સેવા કેમ્પનું આયોજન થઇ રહ્યું છે. આ અંતર્ગત 14થી16 માર્ચ દરમિયાન સેવા કેમ્પમાં ચિરિપાલ ગ્રૂપના 200 જેટલાં સ્વયંસેવકો લગભગ 7 લાખ શ્રદ્ધાળુઓ માટે જરૂરી ભોજન અને દવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. વધુમાં ત્રણ ડોક્ટર્સ અને ચાર નર્સની એક ટીમ પણ અહીં હાજર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.