Western Times News

Gujarati News

ક્રિકેટર હરભજનસિંહને આમ આદમી પાર્ટી રાજ્યસભામાં મોકલશે

નવી દિલ્હી, ક્રિકેટર હરભજનસિંહને આમ આદમી પાર્ટીએ રાજ્યસભાનો ઉમેદવાર બનાવ્યો છે. એવુ કહેવાય છે કે, ભજ્જીને પંજાબમાં બનનારી સ્પોર્ટસ યુનિવર્સિટીનુ સંચાલન પણ સોંપવામાં આવી શકે છે.ચૂંટણી પ્રચાર દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને એલાન કર્યુ હતુ કે, પંજાબમાં રમત ગમતને પ્રોત્સાહન આપવામાં આવશે.

નવી સરકારે જલંધરમાં સ્પોર્ટસ યુનિવર્સિટી બનાવવાનુ નક્કી કર્યુ છે.

આ મહિનાના અંત સુધીમાં રાજ્યસભા માટે આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળવાની છે અને તેના માટે પહેલુ નામ હરભજનસિંહનુ સામે આવ્યુ છે.હરભજનના નામની અટકળો કેટલાક સમય પહેલાથી ચાલી રહી હતી.

ભગવંત માન અને હરભજનસિંહ નિકટના મિત્રો મનાય છે અને ભગવંતસિંહને આપની જીત બદલ હરભજને અભિનંદન પણ આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.